Tuesday, October 14, 2025

દિવાળીમાં અમદાવાદને 3 કરોડના ખર્ચે ‘દુલ્હનની જેમ’ શણગારાશે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, સર્કલો પર ભવ્ય લાઇટિંગ કરાશે

Share

અમદાવાદ : આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ બ્રિજ, સર્કલો, સ્કલ્પચર, હેરિટેજ બિલ્ડીંગો અને દરવાજાઓ પર લાઇટિંગ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે જેના માટે વિવિધ જગ્યાએ લાઇટિંગ કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર આવેલા બ્રિજો, 45 ઓવરબ્રિજ અને અંડરબ્રિજો, 46 સર્કલો વગેરે જગ્યાને શણગારવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલા 50થી વધુ ફુવારા પણ ચાલુ કરવામાં આવશે.રૂ.3 કરોડની ખર્ચની મર્યાદામાં અમદાવાદ શહેરમાં લાઇટિંગ કરવામાં આવનાર છે.

ગત વર્ષની જેમ આગામી નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં ફૂડ ફેસ્ટિવલ, બૂકફેર અને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વખત કોઈ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજવામાં આવશે. યુવાનોને પ્રોત્સાહન મળે તેના માટે આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ નવેમ્બર મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. લોકોમાં વાંચનની રુચિ વધે અને પુસ્તકો અંગે માહિતી મળી રહે તેના માટે બુક ફેરનું પણ આયોજન કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...