Thursday, March 12, 2026

દિવાળીમાં અમદાવાદને 3 કરોડના ખર્ચે ‘દુલ્હનની જેમ’ શણગારાશે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, સર્કલો પર ભવ્ય લાઇટિંગ કરાશે

spot_img
Share

અમદાવાદ : આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ બ્રિજ, સર્કલો, સ્કલ્પચર, હેરિટેજ બિલ્ડીંગો અને દરવાજાઓ પર લાઇટિંગ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે જેના માટે વિવિધ જગ્યાએ લાઇટિંગ કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર આવેલા બ્રિજો, 45 ઓવરબ્રિજ અને અંડરબ્રિજો, 46 સર્કલો વગેરે જગ્યાને શણગારવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલા 50થી વધુ ફુવારા પણ ચાલુ કરવામાં આવશે.રૂ.3 કરોડની ખર્ચની મર્યાદામાં અમદાવાદ શહેરમાં લાઇટિંગ કરવામાં આવનાર છે.

ગત વર્ષની જેમ આગામી નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં ફૂડ ફેસ્ટિવલ, બૂકફેર અને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વખત કોઈ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજવામાં આવશે. યુવાનોને પ્રોત્સાહન મળે તેના માટે આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ નવેમ્બર મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. લોકોમાં વાંચનની રુચિ વધે અને પુસ્તકો અંગે માહિતી મળી રહે તેના માટે બુક ફેરનું પણ આયોજન કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...