Sunday, January 18, 2026

દિવાળીમાં અમદાવાદને 3 કરોડના ખર્ચે ‘દુલ્હનની જેમ’ શણગારાશે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, સર્કલો પર ભવ્ય લાઇટિંગ કરાશે

spot_img
Share

અમદાવાદ : આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ બ્રિજ, સર્કલો, સ્કલ્પચર, હેરિટેજ બિલ્ડીંગો અને દરવાજાઓ પર લાઇટિંગ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે જેના માટે વિવિધ જગ્યાએ લાઇટિંગ કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર આવેલા બ્રિજો, 45 ઓવરબ્રિજ અને અંડરબ્રિજો, 46 સર્કલો વગેરે જગ્યાને શણગારવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલા 50થી વધુ ફુવારા પણ ચાલુ કરવામાં આવશે.રૂ.3 કરોડની ખર્ચની મર્યાદામાં અમદાવાદ શહેરમાં લાઇટિંગ કરવામાં આવનાર છે.

ગત વર્ષની જેમ આગામી નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં ફૂડ ફેસ્ટિવલ, બૂકફેર અને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વખત કોઈ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજવામાં આવશે. યુવાનોને પ્રોત્સાહન મળે તેના માટે આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ નવેમ્બર મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. લોકોમાં વાંચનની રુચિ વધે અને પુસ્તકો અંગે માહિતી મળી રહે તેના માટે બુક ફેરનું પણ આયોજન કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...