Tuesday, October 14, 2025

અમદાવાદના આ વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણીથી ત્રાહિમામ : સ્થાનિકોએ MLAની ઓફિસ પર હોબાળો મચાવ્યો

Share

અમદાવાદ : શહેરના નરોડા વિધાનસભામાં સરદારનગર વોર્ડમાં નોબલનગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે. આ મુદ્દે સ્થાનિકોએ નરોડાના ભાજપના MLA ડો. પાયલ કુકરાણીની ઓફિસે વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયા નગર, બીડી કામદારનગર, વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો ઘેરાવ કર્યો હતો. છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં અનેક વખત રજૂઆતો છતાં પણ કોર્પોરેટર અને ઉત્તર ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન ના આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. ભાજપના ધારાસભ્યની ઓફિસે લોકોએ પહોંચી અને ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

નરોડા વિધાનસભાના ભાજપના MLA ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે શનિવારે ડ્રેનેજની ફરિયાદ આવી હતી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ રવિવારની રજા હોવાથી આજે સોમવારે સવારથી કામગીરી શરૂ કરી છે પરંતુ ત્યાં કોંગ્રેસના કેટલાક લોકો છે અને સ્થાનિક લોકોને ભેગા કરી અને તેમના પોતાના માણસોને બોલાવી અને ઓફિસની બહાર વિરોધ કર્યો હતો અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત થઈ ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે આજે સવારથી કામગીરી ત્યાં ચાલુ કરી દીધી છે. સ્ટ્રેટેજી પૂર્વક કરવામાં આવી રહ્યું છે.

લોકોએ ભાજપના MLA ને બહાર બોલાવી અને તેમને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે પ્રાથમિક સુવિધા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ દર વખતે અમે રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ ધક્કા ખવડાવે છે.

અમારા છોકરાઓ બીમાર થઈ જાય છે. ગટરો ઉભરાય છે અને જીવાતો પણ થાય છે તેના કારણે લોકો વધારે બીમાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘરોમાં પાણી જતા રહે છે. જેથી રહેવું ખાવું પીવું કેવી રીતે અમારે ખબર નથી પડતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો સામે અવારનવાર વિરોધ દર્શાવવામાં આવે છે, તેમ છતાં પણ ભાજપના શહેરના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ ગંભીરતાથી નોંધ લેવામાં ન આવતા પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...