Friday, March 13, 2026

અમદાવાદની 332 શાળાઓને માન્યતા રદ કરવાની નોટિસ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ઉઠ્યા સવાલ, DEO ની મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરની 332 સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવાયા છે. સ્કૂલો દ્વારા યુ-ડાયસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 332 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાઓને વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ફરજિયાત નિયમનું પાલન કર્યું નથી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શૈક્ષણિક ડેટા માટે ઉપયોગમાં લેવાતા આ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ ડેટાની એન્ટ્રી ફરજિયાત ગણવામાં આવે છે.

DEOએ આ નિયમનો ભંગ કરનાર શાળાઓને માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ શાળાઓના પ્રિન્સિપાલને તાત્કાલિક શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના છે.

DEO કચેરીના જણાવ્યા અનુસાર, 60થી વધુ સ્કૂલો એવી છે જેઓની 100 ટકા કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. સ્કૂલોની ઘોર નિષ્ફળતા છતાં વારંવાર સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય પગલાં લેવાતા ન હોઈને આ કડક પગલું લેવાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...