Thursday, January 15, 2026

અમદાવાદની 332 શાળાઓને માન્યતા રદ કરવાની નોટિસ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ઉઠ્યા સવાલ, DEO ની મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરની 332 સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવાયા છે. સ્કૂલો દ્વારા યુ-ડાયસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 332 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાઓને વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ફરજિયાત નિયમનું પાલન કર્યું નથી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શૈક્ષણિક ડેટા માટે ઉપયોગમાં લેવાતા આ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ ડેટાની એન્ટ્રી ફરજિયાત ગણવામાં આવે છે.

DEOએ આ નિયમનો ભંગ કરનાર શાળાઓને માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ શાળાઓના પ્રિન્સિપાલને તાત્કાલિક શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના છે.

DEO કચેરીના જણાવ્યા અનુસાર, 60થી વધુ સ્કૂલો એવી છે જેઓની 100 ટકા કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. સ્કૂલોની ઘોર નિષ્ફળતા છતાં વારંવાર સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય પગલાં લેવાતા ન હોઈને આ કડક પગલું લેવાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...