Saturday, September 19, 2026

અમદાવાદની 332 શાળાઓને માન્યતા રદ કરવાની નોટિસ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ઉઠ્યા સવાલ, DEO ની મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરની 332 સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવાયા છે. સ્કૂલો દ્વારા યુ-ડાયસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 332 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાઓને વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ફરજિયાત નિયમનું પાલન કર્યું નથી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શૈક્ષણિક ડેટા માટે ઉપયોગમાં લેવાતા આ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ ડેટાની એન્ટ્રી ફરજિયાત ગણવામાં આવે છે.

DEOએ આ નિયમનો ભંગ કરનાર શાળાઓને માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ શાળાઓના પ્રિન્સિપાલને તાત્કાલિક શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના છે.

DEO કચેરીના જણાવ્યા અનુસાર, 60થી વધુ સ્કૂલો એવી છે જેઓની 100 ટકા કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. સ્કૂલોની ઘોર નિષ્ફળતા છતાં વારંવાર સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય પગલાં લેવાતા ન હોઈને આ કડક પગલું લેવાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...