Wednesday, March 11, 2026

અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજીના ચરખાની થીમ પર બનશે, જાણો કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ

spot_img
Share

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ શહેર બનેલું છે. પશ્ચિમ રેલવેનું સાબરમતી રેલવે સ્ટેશન એ રાષ્ટ્રીય મહત્વની આ ઇમારતની નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના બધા રેલવે સ્ટેશન શહેરોની સંસ્કૃતિ, વારસો, ઈતિહાસ, વિશિષ્ટ ઓળખની અનોખી થીમ મુજબ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં સાબરમતી હાઈસ્પીડ રેલવે સ્ટેશનને મહાત્મા ગાંધીના ચરખાની થીમ આધારિત બનાવવામાં આવશે.

રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારી મુજબ, બુલેટ ટ્રેન કોરિડોરની સાબરમતી રેલવે સ્ટેશન યોજનાનું એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.તેની ડિઝાઈન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે, જે સાબરમતી આશ્રમની ઐતિહાસિક ઓળખને નમન કરે છે. નિર્માણાધીન સ્ટેશનનું માળખાગત કામ પુરું થઈ ગયું છે. તેની આંતરિક સજાવટ, વીજળી, યાંત્રિકીનું કામ ગતિમાં છે. આ ઉપરાંત સ્ટેશન પર યાત્રીઓ માટે વિશ્વસ્તરીય સુવિધા હશે, તેની વિશેષતા એ છે કે સ્ટેશન હાલના રેલવે, મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ નેટવર્ક સાથે સીધુ જોડાયેલું રહેશે. તેને આધુનિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે.

આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ કરી રહી છે. સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલાં વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશનની ડિઝાઇનને એવી વાસ્તુકલાની સાથે બનાવવામાં આવી છે, જેનાથી સમગ્ર સ્ટેશન સંકુલની સુંદરતામાં વધારો થશે.

સુંદર અગ્રભાગ અને કલર સ્કીમની એકીકૃત થીમ દ્વારા વૃદ્ધિ સુનિશ્ચિત થશે અને એક સુખદ વાતાવરણ પ્રદાન કરવામાં આવશે. ભાવિ સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને સ્ટેશનના ભાવિ સ્વરૂપની માહિતી અને અનુભવ મળી શકે છે.

મહારાષ્ટ્ર-ગુજરાત જોડાશેઃ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર (508 કિલોમીટર) પર વિશ્વસ્તરીય સુવિધાઓથી સજજ કુલ 12 રેલવે સ્ટેશન હશે. આ કોરિડોર બે રાજયો મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડશે.

કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ
* સાબરમતીઃ મહાત્મા ગાંધીનો ચરખો અને ઐતિહાસિક દાંડી માર્ચ
* અમદાવાદઃ સીદી સૈયદ મસ્જિદની જાળીઓથી પ્રેરિત
* સુરતઃ હીરાના કટ અને ચમકની થીમ પર ડિઝાઈન
* વડોદરાઃ દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી ઓળખને દર્શાવવામાં આવશે.
* આણંદ-નડિયાદઃ સહકારિતા-દૂધ ક્રાંતિ, કૃષિ અને સહકારિતા મોડલ દર્શાવવામાં આવશે.
* બિલિમોરાઃ કેરીના બગીચાઓની થીમ પર ડિઝાઈન
* બોઈસરઃ કોંકણી સમુદાયની જીવન શૈલીને દર્શાવતી માછલી પકડવાની જાળોથી પ્રેરિત
* વિરારઃ પહાડી ક્ષેત્રમાં સ્થિત હોવાથી પ્રકૃતિથી પ્રેરિત વાસ્તુ કલાનો ઉપયોગ
* થાણેઃ થાણે સ્ટેશનની છતની ડિઝાઈન ઉલ્હાસ નદીની કોમળ લહેરોથી પ્રેરિત છે.
* મુંબઈ (બીકેસી)ઃ અરબસાગરની લહેરોથી પ્રેરિત.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...