Thursday, January 15, 2026

અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજીના ચરખાની થીમ પર બનશે, જાણો કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ

spot_img
Share

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ શહેર બનેલું છે. પશ્ચિમ રેલવેનું સાબરમતી રેલવે સ્ટેશન એ રાષ્ટ્રીય મહત્વની આ ઇમારતની નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના બધા રેલવે સ્ટેશન શહેરોની સંસ્કૃતિ, વારસો, ઈતિહાસ, વિશિષ્ટ ઓળખની અનોખી થીમ મુજબ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં સાબરમતી હાઈસ્પીડ રેલવે સ્ટેશનને મહાત્મા ગાંધીના ચરખાની થીમ આધારિત બનાવવામાં આવશે.

રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારી મુજબ, બુલેટ ટ્રેન કોરિડોરની સાબરમતી રેલવે સ્ટેશન યોજનાનું એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.તેની ડિઝાઈન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે, જે સાબરમતી આશ્રમની ઐતિહાસિક ઓળખને નમન કરે છે. નિર્માણાધીન સ્ટેશનનું માળખાગત કામ પુરું થઈ ગયું છે. તેની આંતરિક સજાવટ, વીજળી, યાંત્રિકીનું કામ ગતિમાં છે. આ ઉપરાંત સ્ટેશન પર યાત્રીઓ માટે વિશ્વસ્તરીય સુવિધા હશે, તેની વિશેષતા એ છે કે સ્ટેશન હાલના રેલવે, મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ નેટવર્ક સાથે સીધુ જોડાયેલું રહેશે. તેને આધુનિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે.

આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ કરી રહી છે. સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલાં વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશનની ડિઝાઇનને એવી વાસ્તુકલાની સાથે બનાવવામાં આવી છે, જેનાથી સમગ્ર સ્ટેશન સંકુલની સુંદરતામાં વધારો થશે.

સુંદર અગ્રભાગ અને કલર સ્કીમની એકીકૃત થીમ દ્વારા વૃદ્ધિ સુનિશ્ચિત થશે અને એક સુખદ વાતાવરણ પ્રદાન કરવામાં આવશે. ભાવિ સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને સ્ટેશનના ભાવિ સ્વરૂપની માહિતી અને અનુભવ મળી શકે છે.

મહારાષ્ટ્ર-ગુજરાત જોડાશેઃ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર (508 કિલોમીટર) પર વિશ્વસ્તરીય સુવિધાઓથી સજજ કુલ 12 રેલવે સ્ટેશન હશે. આ કોરિડોર બે રાજયો મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડશે.

કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ
* સાબરમતીઃ મહાત્મા ગાંધીનો ચરખો અને ઐતિહાસિક દાંડી માર્ચ
* અમદાવાદઃ સીદી સૈયદ મસ્જિદની જાળીઓથી પ્રેરિત
* સુરતઃ હીરાના કટ અને ચમકની થીમ પર ડિઝાઈન
* વડોદરાઃ દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી ઓળખને દર્શાવવામાં આવશે.
* આણંદ-નડિયાદઃ સહકારિતા-દૂધ ક્રાંતિ, કૃષિ અને સહકારિતા મોડલ દર્શાવવામાં આવશે.
* બિલિમોરાઃ કેરીના બગીચાઓની થીમ પર ડિઝાઈન
* બોઈસરઃ કોંકણી સમુદાયની જીવન શૈલીને દર્શાવતી માછલી પકડવાની જાળોથી પ્રેરિત
* વિરારઃ પહાડી ક્ષેત્રમાં સ્થિત હોવાથી પ્રકૃતિથી પ્રેરિત વાસ્તુ કલાનો ઉપયોગ
* થાણેઃ થાણે સ્ટેશનની છતની ડિઝાઈન ઉલ્હાસ નદીની કોમળ લહેરોથી પ્રેરિત છે.
* મુંબઈ (બીકેસી)ઃ અરબસાગરની લહેરોથી પ્રેરિત.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...