Monday, October 13, 2025

અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજીના ચરખાની થીમ પર બનશે, જાણો કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ

Share

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ શહેર બનેલું છે. પશ્ચિમ રેલવેનું સાબરમતી રેલવે સ્ટેશન એ રાષ્ટ્રીય મહત્વની આ ઇમારતની નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના બધા રેલવે સ્ટેશન શહેરોની સંસ્કૃતિ, વારસો, ઈતિહાસ, વિશિષ્ટ ઓળખની અનોખી થીમ મુજબ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં સાબરમતી હાઈસ્પીડ રેલવે સ્ટેશનને મહાત્મા ગાંધીના ચરખાની થીમ આધારિત બનાવવામાં આવશે.

રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારી મુજબ, બુલેટ ટ્રેન કોરિડોરની સાબરમતી રેલવે સ્ટેશન યોજનાનું એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.તેની ડિઝાઈન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે, જે સાબરમતી આશ્રમની ઐતિહાસિક ઓળખને નમન કરે છે. નિર્માણાધીન સ્ટેશનનું માળખાગત કામ પુરું થઈ ગયું છે. તેની આંતરિક સજાવટ, વીજળી, યાંત્રિકીનું કામ ગતિમાં છે. આ ઉપરાંત સ્ટેશન પર યાત્રીઓ માટે વિશ્વસ્તરીય સુવિધા હશે, તેની વિશેષતા એ છે કે સ્ટેશન હાલના રેલવે, મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ નેટવર્ક સાથે સીધુ જોડાયેલું રહેશે. તેને આધુનિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે.

આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ કરી રહી છે. સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલાં વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશનની ડિઝાઇનને એવી વાસ્તુકલાની સાથે બનાવવામાં આવી છે, જેનાથી સમગ્ર સ્ટેશન સંકુલની સુંદરતામાં વધારો થશે.

સુંદર અગ્રભાગ અને કલર સ્કીમની એકીકૃત થીમ દ્વારા વૃદ્ધિ સુનિશ્ચિત થશે અને એક સુખદ વાતાવરણ પ્રદાન કરવામાં આવશે. ભાવિ સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને સ્ટેશનના ભાવિ સ્વરૂપની માહિતી અને અનુભવ મળી શકે છે.

મહારાષ્ટ્ર-ગુજરાત જોડાશેઃ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર (508 કિલોમીટર) પર વિશ્વસ્તરીય સુવિધાઓથી સજજ કુલ 12 રેલવે સ્ટેશન હશે. આ કોરિડોર બે રાજયો મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડશે.

કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ
* સાબરમતીઃ મહાત્મા ગાંધીનો ચરખો અને ઐતિહાસિક દાંડી માર્ચ
* અમદાવાદઃ સીદી સૈયદ મસ્જિદની જાળીઓથી પ્રેરિત
* સુરતઃ હીરાના કટ અને ચમકની થીમ પર ડિઝાઈન
* વડોદરાઃ દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી ઓળખને દર્શાવવામાં આવશે.
* આણંદ-નડિયાદઃ સહકારિતા-દૂધ ક્રાંતિ, કૃષિ અને સહકારિતા મોડલ દર્શાવવામાં આવશે.
* બિલિમોરાઃ કેરીના બગીચાઓની થીમ પર ડિઝાઈન
* બોઈસરઃ કોંકણી સમુદાયની જીવન શૈલીને દર્શાવતી માછલી પકડવાની જાળોથી પ્રેરિત
* વિરારઃ પહાડી ક્ષેત્રમાં સ્થિત હોવાથી પ્રકૃતિથી પ્રેરિત વાસ્તુ કલાનો ઉપયોગ
* થાણેઃ થાણે સ્ટેશનની છતની ડિઝાઈન ઉલ્હાસ નદીની કોમળ લહેરોથી પ્રેરિત છે.
* મુંબઈ (બીકેસી)ઃ અરબસાગરની લહેરોથી પ્રેરિત.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...