Thursday, March 5, 2026

અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર! ટ્રાફિકથી ભરચક આ બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. સાથે સાથે અમદાવાદમાં હાલ વિકાસના વિવિધ કામ ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના વિવિધ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારોલથી વિશાલા તરફ જતા શાસ્ત્રી બ્રિજનો દસ દિવસ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજના 15 વર્ષ કરતાં જૂનાં બેરિંગ બદલવાની જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આથી નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાનગી કંપનીને ટેન્ડર આપી બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 15 વર્ષથી જૂના હોય તેવા 180 બેરિંગ બદલાશે. સાથે જ બ્રિજના પેરાફેટની દીવાલને પણ નવી બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત બ્રિજના એક્સપાન્શન જોઇન્ટનું પણ સમારકામ કરાશે.

નવેમ્બર મહિનામાં જ્યારે બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે નારોલથી વિશાલા તરફના બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને અવર-જવર કરવા માટે સામેના એટલે કે વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવશે. હાલમાં પણ બ્રિજ પરથી મોટાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાના કારણે તમામ વાહનો દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા પાસેથી જઈ શકશે

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલા જ કરાયું હતું ત્યારે માત્ર સરફેસિંગની કામગીરી કરાઈ હતી. ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ જ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે. રોજના લાખોની સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે બ્રિજ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...