Monday, October 13, 2025

અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર! ટ્રાફિકથી ભરચક આ બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રહેશે

Share

અમદાવાદ : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. સાથે સાથે અમદાવાદમાં હાલ વિકાસના વિવિધ કામ ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના વિવિધ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારોલથી વિશાલા તરફ જતા શાસ્ત્રી બ્રિજનો દસ દિવસ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજના 15 વર્ષ કરતાં જૂનાં બેરિંગ બદલવાની જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આથી નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાનગી કંપનીને ટેન્ડર આપી બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 15 વર્ષથી જૂના હોય તેવા 180 બેરિંગ બદલાશે. સાથે જ બ્રિજના પેરાફેટની દીવાલને પણ નવી બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત બ્રિજના એક્સપાન્શન જોઇન્ટનું પણ સમારકામ કરાશે.

નવેમ્બર મહિનામાં જ્યારે બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે નારોલથી વિશાલા તરફના બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને અવર-જવર કરવા માટે સામેના એટલે કે વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવશે. હાલમાં પણ બ્રિજ પરથી મોટાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાના કારણે તમામ વાહનો દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા પાસેથી જઈ શકશે

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલા જ કરાયું હતું ત્યારે માત્ર સરફેસિંગની કામગીરી કરાઈ હતી. ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ જ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે. રોજના લાખોની સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે બ્રિજ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...