Monday, October 13, 2025

વસ્ત્રાપુરમાં સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મુકી ફરાર

Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માત્ર દોઢ વર્ષના ગાળામાં લગ્નજીવનનો અંત આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાને મૃત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં મૂકીને સાસરિયા ફરાર થઈ ગયા છે. બીજી તરફ, પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના સાસરિયા અવારનવાર દહેજ પેટે રૂપિયાની માગણી અને સોનાના દાગીનાની માગણી કરીને તેને ત્રાસ આપતા હતા. જોકે, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર ભરવાડવાસમાં રહેતા દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની યુવતીના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા.લગ્ન પહેલાથી જ રિદ્ધિના સાસરિયાઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હતી.દિલીપે પણ સગાઈ બાદ થાર ગાડી લેવા પૈસાની માંગણી કરી હતી.લગ્ન બાદ રિદ્ધિને માર મારતો હોવાનો રિદ્ધિના પરિવારે આક્ષેપ કર્યો છે.રિદ્ધિ પાસે સાસરિયાઓ અવારનવાર પૈસા અને સોનાની માંગણી કરતા હતા.રિદ્ધિ પિયરમાંથી ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લાવી હતી છતાં તેને ત્રાસ આપવામાં આવતો હતો.

થોડા દિવસ પહેલા રિધ્ધીને બાળક મીસકેરેજ જતા તેનાં પિયર પક્ષનાં 40 લોકો 12મી ઓક્ટોબરે તેની સાસરિમાં આવવાનાં હતા, જોકે તેનાં સાસરિયાઓએ તે 40 મહેમાનોનો તમામ ખર્ચ પણ રિધ્ધીનાં પિયરમાંથી માંગવાનું કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. અને અંતે 11મી ઓક્ટોબરે રિધ્ધીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.આ ઘટના બાદ રિધ્ધી ભરવાડને તેનાં સાસરિયાઓ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જ ત્યાંથી ફરાર થઈ ગયા.

જેથી સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી રિધ્ધી ભરવાડે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ તેજ કરી છે. આ મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પરિવારજનોનાં આક્ષેપને લઈને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે હવે આરોપીઓનાં પકડાયા બાદ આ બનાવ અંગેની સાચી હકિકત સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...