Monday, June 8, 2026

વસ્ત્રાપુરમાં સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મુકી ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માત્ર દોઢ વર્ષના ગાળામાં લગ્નજીવનનો અંત આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાને મૃત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં મૂકીને સાસરિયા ફરાર થઈ ગયા છે. બીજી તરફ, પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના સાસરિયા અવારનવાર દહેજ પેટે રૂપિયાની માગણી અને સોનાના દાગીનાની માગણી કરીને તેને ત્રાસ આપતા હતા. જોકે, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર ભરવાડવાસમાં રહેતા દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની યુવતીના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા.લગ્ન પહેલાથી જ રિદ્ધિના સાસરિયાઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હતી.દિલીપે પણ સગાઈ બાદ થાર ગાડી લેવા પૈસાની માંગણી કરી હતી.લગ્ન બાદ રિદ્ધિને માર મારતો હોવાનો રિદ્ધિના પરિવારે આક્ષેપ કર્યો છે.રિદ્ધિ પાસે સાસરિયાઓ અવારનવાર પૈસા અને સોનાની માંગણી કરતા હતા.રિદ્ધિ પિયરમાંથી ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લાવી હતી છતાં તેને ત્રાસ આપવામાં આવતો હતો.

થોડા દિવસ પહેલા રિધ્ધીને બાળક મીસકેરેજ જતા તેનાં પિયર પક્ષનાં 40 લોકો 12મી ઓક્ટોબરે તેની સાસરિમાં આવવાનાં હતા, જોકે તેનાં સાસરિયાઓએ તે 40 મહેમાનોનો તમામ ખર્ચ પણ રિધ્ધીનાં પિયરમાંથી માંગવાનું કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. અને અંતે 11મી ઓક્ટોબરે રિધ્ધીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.આ ઘટના બાદ રિધ્ધી ભરવાડને તેનાં સાસરિયાઓ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જ ત્યાંથી ફરાર થઈ ગયા.

જેથી સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી રિધ્ધી ભરવાડે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ તેજ કરી છે. આ મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પરિવારજનોનાં આક્ષેપને લઈને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે હવે આરોપીઓનાં પકડાયા બાદ આ બનાવ અંગેની સાચી હકિકત સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...