Friday, March 13, 2026

વસ્ત્રાપુરમાં સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મુકી ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માત્ર દોઢ વર્ષના ગાળામાં લગ્નજીવનનો અંત આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાને મૃત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં મૂકીને સાસરિયા ફરાર થઈ ગયા છે. બીજી તરફ, પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના સાસરિયા અવારનવાર દહેજ પેટે રૂપિયાની માગણી અને સોનાના દાગીનાની માગણી કરીને તેને ત્રાસ આપતા હતા. જોકે, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર ભરવાડવાસમાં રહેતા દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની યુવતીના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા.લગ્ન પહેલાથી જ રિદ્ધિના સાસરિયાઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હતી.દિલીપે પણ સગાઈ બાદ થાર ગાડી લેવા પૈસાની માંગણી કરી હતી.લગ્ન બાદ રિદ્ધિને માર મારતો હોવાનો રિદ્ધિના પરિવારે આક્ષેપ કર્યો છે.રિદ્ધિ પાસે સાસરિયાઓ અવારનવાર પૈસા અને સોનાની માંગણી કરતા હતા.રિદ્ધિ પિયરમાંથી ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લાવી હતી છતાં તેને ત્રાસ આપવામાં આવતો હતો.

થોડા દિવસ પહેલા રિધ્ધીને બાળક મીસકેરેજ જતા તેનાં પિયર પક્ષનાં 40 લોકો 12મી ઓક્ટોબરે તેની સાસરિમાં આવવાનાં હતા, જોકે તેનાં સાસરિયાઓએ તે 40 મહેમાનોનો તમામ ખર્ચ પણ રિધ્ધીનાં પિયરમાંથી માંગવાનું કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. અને અંતે 11મી ઓક્ટોબરે રિધ્ધીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.આ ઘટના બાદ રિધ્ધી ભરવાડને તેનાં સાસરિયાઓ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જ ત્યાંથી ફરાર થઈ ગયા.

જેથી સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી રિધ્ધી ભરવાડે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ તેજ કરી છે. આ મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પરિવારજનોનાં આક્ષેપને લઈને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે હવે આરોપીઓનાં પકડાયા બાદ આ બનાવ અંગેની સાચી હકિકત સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...