Thursday, April 30, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વહેલી સવારે 14 દુકાનો બળીને ખાખ ! દિવાળી સમયે વેપારીઓને મોટું નુકશાન

spot_img
Share

અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તાર 14 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી, જોતજોતાંમાં આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ અગ્નિશામક વાહનો સાથે દોડી આવ્યા હતાં અને આગને કાબુમાં લીધી હતી.મોટા ભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન ગયું છે.

અહેવાલ મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી ફાયરબ્રિગેડની 8 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

મોટાભાગની દુકાનો કપડાં, ફૂટવેર, ઘરવખરી અને સુશોભન માટેની ચીજ-વસ્તુઓ હતી, દિવાળીને ધ્યાનમાં રાખીને દુકાનોમાં વધુ સ્ટોક રાખ્યો હતો. દુકાનો બળીને રાખ થઇ જતાં, વેપારીઓને ભારે નુકસાન થયું છે. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થઇ નથી, જો દિવસના સમયે દુકાનો ગ્રાહકોથી ભરેલી હોત ત્યારે આગ લાગી હોત ગંભીર ઘટના બની હોત.

પ્રાથમિક તપાસ મુજબ દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે નુકસાનનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...