Friday, March 13, 2026

દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર; સાંજે આટલા વાગ્યા સુધી જ દોડશે મેટ્રો

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે મેટ્રો ટ્રેન રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ દિવાળીની રાત્રે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફૂટવાની સંભવિત અસરો અને મુસાફરોની સલામતી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ નોંધ લેવી કે સોમવારે સાંજે 7:20 પછી મેટ્રો ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે નહીં. બીજા દિવસથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ તેના નિયમિત સમયે દોડશે.

GMRC ના જણાવ્યા મુજબ, દિવાળીના પર્વે (20મી ઓક્ટોબર) તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરોને તથા મુસાફરો તેમજ મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને તારીખ 20.10.2025 ના રોજ અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક દિવસ માટે મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20 થી સાંજના 7 વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે.

દિવાળીના તહેવાર પર 20.10. 2025 ના રોજ છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય દરેક ટર્મિનલ સ્ટેશનથી જેમકે, અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તથા ગાંધીનગર કોરિડોરમાં સચિવાલય અને ગિફ્ટ સિટીથી નીચે મુજબનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું પ્રતીક બનીને ઉભર્યો છે. ગુજરાત મેટ્રોની સફર વર્ષ 2025માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ 35 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ 99.84 ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

દિવાળીના દિવસે છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય (20-10-2025)

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે 7:05 કલાકે
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ સાંજે 7:10 કલાકે
મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફ સાંજે 7:10 કલાકે
એપીએમસી થી મોટેરા સ્ટેડિયમ તરફ સાંજે 7:10 કલાકે
એપીએમસી થી સચિવાલય તરફ સાંજે સાંજે 6:24 કલાકે
સચિવાલય થી એપીએમસી તરફ સાંજે સાંજે 6:24 કલાકે
ગિફ્ટ સિટીથી એપીએમસી તરફ સાંજે સાંજે 6:18 કલાકે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...