Wednesday, March 11, 2026

અમદાવાદમાં ડોક્ટરે 9 દિવસ પહેલા કામે રાખેલો ઘરઘાટી 6.50 લાખ ચોરીને ફરાર, કેમેરામાં ઝડપાયો આરોપી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારની માલાબાર એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી નવા રાખેલા ઘરના નોકર ભવરલાલ મીણાએ ઘરમાં હાથફેરો કર્યા હોવાનું ખુલ્યું છે. મહત્વની વાત છે કે, આ ઘરઘાટીને ડોક્ટરે માત્ર નવ જ દિવસ પહેલાં કામે રાખ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ત્રાગડ ખાતે રહેતા ડૉ. હાર્દિક નરેન્દ્ર મગનલાલ વ્યાસે ગત તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ ભવરલાલ ખેતાજી મીણા નામના યુવકને ઘરની સારસંભાળ અને કામકાજ માટે 15000 રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યો હતો. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી આધાર કાર્ડ, મોબાઇલ નંબર સહિતની માહિતી મેળવી ખરાઈ કર્યા ડૉક્ટરે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આ ઉપરાંત ભવરલાલની ભલામણ અન્ય પરિચિતોએ કરી હતી.

ગત તા 17 ઓક્ટોબર, શુક્રવાર 2025 ના રોજ સવારે 11 કલાકે ડૉક્ટર વ્યાસ દવાખાને ગયા હતા અને બપોરના 01 વાગ્યે જમવા પાછા ફર્યા હતા. જ્યારે ડૉક્ટર ઘરે પહોંચ્યા તો ઘર બહારથી બંધ હતું. નોકર ભવરલાલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો, જેના કારણે તેમને શંકા ગઈ.ડૉક્ટરે ઘરનો દરવાજો ખોલીને અંદર તપાસ કરી તો તેમના બેડરૂમની તિજોરી અર્ધખુલ્લી હાલતમાં મળી આવી હતી.

ચોંકાવનારી વાત એ હતી કે તિજોરીનું ડ્રોઅર પણ તૂટેલું હતું. ડૉક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે ડ્રોઅરમાં રાખવામાં આવેલા પાંચસોના દરની નોટોના બંડલો, જેની કુલ કિંમત 6.50 લાખ થતી હતી, તે રકમ ગાયબ હતી. નોકરે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ, ડૉક્ટરના દવાખાને જવાનો સમય જાણીને, ઘરમાં રહેલી રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો.

ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં તે જ દિવસે ભંવરલાલ બપોરે 12.09 વાગ્યે સોસાયટીની બહાર થેલી લઈને સ્પષ્ટપણે જતો દેખાતો હતો. આથી તબીબે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભંવરલાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...