Friday, January 16, 2026

અમદાવાદમાં ડોક્ટરે 9 દિવસ પહેલા કામે રાખેલો ઘરઘાટી 6.50 લાખ ચોરીને ફરાર, કેમેરામાં ઝડપાયો આરોપી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારની માલાબાર એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી નવા રાખેલા ઘરના નોકર ભવરલાલ મીણાએ ઘરમાં હાથફેરો કર્યા હોવાનું ખુલ્યું છે. મહત્વની વાત છે કે, આ ઘરઘાટીને ડોક્ટરે માત્ર નવ જ દિવસ પહેલાં કામે રાખ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ત્રાગડ ખાતે રહેતા ડૉ. હાર્દિક નરેન્દ્ર મગનલાલ વ્યાસે ગત તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ ભવરલાલ ખેતાજી મીણા નામના યુવકને ઘરની સારસંભાળ અને કામકાજ માટે 15000 રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યો હતો. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી આધાર કાર્ડ, મોબાઇલ નંબર સહિતની માહિતી મેળવી ખરાઈ કર્યા ડૉક્ટરે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આ ઉપરાંત ભવરલાલની ભલામણ અન્ય પરિચિતોએ કરી હતી.

ગત તા 17 ઓક્ટોબર, શુક્રવાર 2025 ના રોજ સવારે 11 કલાકે ડૉક્ટર વ્યાસ દવાખાને ગયા હતા અને બપોરના 01 વાગ્યે જમવા પાછા ફર્યા હતા. જ્યારે ડૉક્ટર ઘરે પહોંચ્યા તો ઘર બહારથી બંધ હતું. નોકર ભવરલાલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો, જેના કારણે તેમને શંકા ગઈ.ડૉક્ટરે ઘરનો દરવાજો ખોલીને અંદર તપાસ કરી તો તેમના બેડરૂમની તિજોરી અર્ધખુલ્લી હાલતમાં મળી આવી હતી.

ચોંકાવનારી વાત એ હતી કે તિજોરીનું ડ્રોઅર પણ તૂટેલું હતું. ડૉક્ટરે તપાસ કરતાં જાણવા મળ્યું કે ડ્રોઅરમાં રાખવામાં આવેલા પાંચસોના દરની નોટોના બંડલો, જેની કુલ કિંમત 6.50 લાખ થતી હતી, તે રકમ ગાયબ હતી. નોકરે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ, ડૉક્ટરના દવાખાને જવાનો સમય જાણીને, ઘરમાં રહેલી રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો.

ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં તે જ દિવસે ભંવરલાલ બપોરે 12.09 વાગ્યે સોસાયટીની બહાર થેલી લઈને સ્પષ્ટપણે જતો દેખાતો હતો. આથી તબીબે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભંવરલાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...