Friday, March 13, 2026

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી ! આ તારીખો નોંધી લેજો ! આગામી પાંચ દિવસ ભારે…!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે. આજથી 30 ઓક્ટોબર સુધી અને નવેમ્બરમાં પણ વરસાદનું સંકટ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે.

આગામી પાંચ-સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26, 27એ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સિસ્ટમની હિલચાલને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોની છે, જેમનો તૈયાર પાક હવે માવઠાના ભરડામાં આવી શકે છે.

તો 28 ઓક્ટોબરથી વરસાદનું જોર ઓછું થતું દેખાશે. તે દિવસે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. બાકીના ભાગોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...