Thursday, March 12, 2026

રાણીપ ST બસ સ્ટેન્ડ પર નવા મંત્રી પ્રવીણ માળીની મુસાફરો સાથે મુલાકાત, MLA હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યાં

spot_img
Share

અમદાવાદ : વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ રાણીપ બસ પોર્ટ અને જીએસઆરટીસી(GSTRC) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાઓ નિહાળી હતી.મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.

વાહનવ્યવહાર રાજ્ય મંત્રીએ બસ સ્ટેન્ડ પાસે આવેલા જીએસઆરટીસી ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાજ્યભરમાં થતું બસ સંચાલન, ટ્રીપ પ્લાનિંગ, ઇન્સિડન્ટ મોનીટરીંગ, કોલ સેન્ટરની કામગીરી, બસ મેપિંગ, રેગ્યુલારીટી, બસ ટ્રેકિંગ, ઇવેન્ટ મોડ્યુલ, મુસાફરો માટેની સુવિધાઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.આ ઉપરાંત મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.

વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓએ મંત્રીને GSRTCના વિવિધ વિભાગોની કામગીરી, સંચાલન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઑપરેશન, સર્વિસીસ, નવા ઈનિશિયેટિવ્સ, ઈ-ગવર્નન્સ સહિત વિવિધ વિભાગોની જવાબદારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, જીએસઆરટીસી(GSTRC) અને વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...