Sunday, January 25, 2026

રાણીપ ST બસ સ્ટેન્ડ પર નવા મંત્રી પ્રવીણ માળીની મુસાફરો સાથે મુલાકાત, MLA હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યાં

spot_img
Share

અમદાવાદ : વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ રાણીપ બસ પોર્ટ અને જીએસઆરટીસી(GSTRC) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાઓ નિહાળી હતી.મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.

વાહનવ્યવહાર રાજ્ય મંત્રીએ બસ સ્ટેન્ડ પાસે આવેલા જીએસઆરટીસી ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાજ્યભરમાં થતું બસ સંચાલન, ટ્રીપ પ્લાનિંગ, ઇન્સિડન્ટ મોનીટરીંગ, કોલ સેન્ટરની કામગીરી, બસ મેપિંગ, રેગ્યુલારીટી, બસ ટ્રેકિંગ, ઇવેન્ટ મોડ્યુલ, મુસાફરો માટેની સુવિધાઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.આ ઉપરાંત મંત્રીએ મુસાફરોની અવરજવર, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. રાણીપ ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે વાતચીત કરી હતી.

વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓએ મંત્રીને GSRTCના વિવિધ વિભાગોની કામગીરી, સંચાલન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઑપરેશન, સર્વિસીસ, નવા ઈનિશિયેટિવ્સ, ઈ-ગવર્નન્સ સહિત વિવિધ વિભાગોની જવાબદારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ મુલાકાત દરમિયાન સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, જીએસઆરટીસી(GSTRC) અને વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...