અમદાવાદ : પથરીના દર્દથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. જો તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો. કારક કે, હવે તેનો હલ આવી ગયો છે. જો પથરી થાય તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે કોઈ પણ પ્રકારના વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. જે સંપુર્ણપણે પેઇનલેસ પણ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના યુરોલૉજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે આ અંગે જણાવ્યું કે, લીથોટ્રીપ્સીમાં હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને કિડની કે મૂત્રમાર્ગની પથરીને તોડી દેવામાં આવે છે. આ 700 દર્દીઓમાંથી 82% દર્દીઓમાં પહેલા પ્રયાસે જ પથરી દૂર થઈ હતી, જ્યારે 15.25% કિસ્સામાં બે વાર સારવારની જરૂર પડી હતી. આ સફળતામાં 3 વર્ષના નાના બાળકથી લઈને 81 વર્ષના વૃદ્ધ સુધીના દર્દીઓ હતા. આ દર્દીઓમાં 497 પુરુષ અને 203 સ્ત્રી દર્દીઓ હતા. જોકે, 15 મિલીમીટરથી વધુ સાઇઝની મોટી પથરી ધરાવતા 192 દર્દીઓને પણ આ પદ્ધતિથી રાહત મળી છે.
ડૉક્ટર શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ 700 દર્દીઓમાંથી 82 ટકા દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી જ્યારે 15.25% કિસ્સામાં બેવાર લિથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષથી લઇ 81 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઈ હતી. આ 700 દર્દીઓમાં 497 પુરુષ દર્દી તેમજ 203 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 185 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 323 દર્દીઓમાં પથરીની સાઇઝ 10થી 15 mm તેમજ 192 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 700 દર્દીઓમાંથી 522 દર્દીઓમાં પથરી કિડનીમાં હતી, જ્યારે 178 દર્દીમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.


