Friday, March 13, 2026

નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમલગ્ન કરનાર દીકરીના સસરાની હત્યા, જાણો શુ છે સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમ લગ્નના મનદુઃખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નના મન દુઃખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને પિતાને ઢોર માર માર્યો હતો. યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાઈલાલ વાઘેલાનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ રાજુભાઈ પરમાર, મહેશ પરમાર, લીલાબેન પરમાર, કલાવતીબેન સોલંકી, મહેશ રાઠોડ તેમજ પ્રેમ પરમાર છે. આ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સફાઈ કામદાર તરીકે નોકરી કરતા 55 વર્ષીય કૈલાશબેન વાઘેલા અને તેમના 60 વર્ષીય પતિ ભાઈલાલભાઈ 30 મી ઓક્ટોબરે ઉસ્માનપુરા પાસે સફાઈ કામ માટે ગયા હતા. જે દરમિયાન બે ઓટોરિક્ષામાં આ આરોપીઓએ આવી લાકડાના ધોકા દ્વારા માર માર્યો અને બાદમાં રિક્ષામાં અપહરણ કરી રાણીપમાં ખુલ્લા મેદાનમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે આસપાસના લોકો એકઠા થતા આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે હુમલામાં ભાઈલાલભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

નારોલમાં રહેતા ફરિયાદી કૈલાશબેન વાઘેલાના નાના દીકરા સની વાઘેલાએ ચાર વર્ષ પહેલા જ્યોત્સના પરમાર નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યોત્સનાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેના પરિવારજનોને આ લગ્ન સ્વીકાર્ય ન હતા. જેથી અવારનવાર તેનાં પિતા દીકરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતા હતા. જેનાથી કંટાળી જ્યોત્સનાએ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ પણ માંગી હતી. વારંવારનાં પ્રયાસ બાદ પણ દીકરી પોતાની પાસે પરત આવતી ન હોય જેની અદાવત રાખીને તેનાં પિતા, ભાઈ, બહેન. બનેવી, કાકા, કાકી સહિતનાં આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પરમાર મૃતકની પુત્રવધુ જ્યોત્સનાનાં પિતા છે. જેઓ મૂર્તિ બનાવવાનું અને અન્ય છૂટક કામ કરે છે. અન્ય આરોપીઓમાં મહેશ પરમાર કાકા, લીલાબેન કાકી, કલાવતીબેન ફુઈ, જ્યોતિ સગી બહેન, મહેશ રાઠોડ બનેવી તેમજ પ્રેમ કાકાનો દીકરો છે. હાલ તો પોલીસે ગુનામાં ફરાર જ્યોતીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે તેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...