Sunday, January 25, 2026

નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમલગ્ન કરનાર દીકરીના સસરાની હત્યા, જાણો શુ છે સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમ લગ્નના મનદુઃખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નના મન દુઃખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને પિતાને ઢોર માર માર્યો હતો. યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાઈલાલ વાઘેલાનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ રાજુભાઈ પરમાર, મહેશ પરમાર, લીલાબેન પરમાર, કલાવતીબેન સોલંકી, મહેશ રાઠોડ તેમજ પ્રેમ પરમાર છે. આ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સફાઈ કામદાર તરીકે નોકરી કરતા 55 વર્ષીય કૈલાશબેન વાઘેલા અને તેમના 60 વર્ષીય પતિ ભાઈલાલભાઈ 30 મી ઓક્ટોબરે ઉસ્માનપુરા પાસે સફાઈ કામ માટે ગયા હતા. જે દરમિયાન બે ઓટોરિક્ષામાં આ આરોપીઓએ આવી લાકડાના ધોકા દ્વારા માર માર્યો અને બાદમાં રિક્ષામાં અપહરણ કરી રાણીપમાં ખુલ્લા મેદાનમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે આસપાસના લોકો એકઠા થતા આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે હુમલામાં ભાઈલાલભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

નારોલમાં રહેતા ફરિયાદી કૈલાશબેન વાઘેલાના નાના દીકરા સની વાઘેલાએ ચાર વર્ષ પહેલા જ્યોત્સના પરમાર નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યોત્સનાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેના પરિવારજનોને આ લગ્ન સ્વીકાર્ય ન હતા. જેથી અવારનવાર તેનાં પિતા દીકરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતા હતા. જેનાથી કંટાળી જ્યોત્સનાએ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ પણ માંગી હતી. વારંવારનાં પ્રયાસ બાદ પણ દીકરી પોતાની પાસે પરત આવતી ન હોય જેની અદાવત રાખીને તેનાં પિતા, ભાઈ, બહેન. બનેવી, કાકા, કાકી સહિતનાં આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પરમાર મૃતકની પુત્રવધુ જ્યોત્સનાનાં પિતા છે. જેઓ મૂર્તિ બનાવવાનું અને અન્ય છૂટક કામ કરે છે. અન્ય આરોપીઓમાં મહેશ પરમાર કાકા, લીલાબેન કાકી, કલાવતીબેન ફુઈ, જ્યોતિ સગી બહેન, મહેશ રાઠોડ બનેવી તેમજ પ્રેમ કાકાનો દીકરો છે. હાલ તો પોલીસે ગુનામાં ફરાર જ્યોતીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે તેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...