Friday, November 28, 2025

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં ! સરકાર મચક નહીં આપે તો છોડાશે આ ‘બ્રહ્માસ્ત્ર’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ અને ચોમાસા બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને હાઉસીંગના રહીશો દ્વારા રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

હાઉસીંગના રહીશો, જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફારની જાહેરાત ન થતા હાઉસીંગના રહીશો ફરી એક વાર લડી લેવાના મૂડમાં હોય તેવું જણાવી રહ્યા છે.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીએ પણ આગામી બુધવાર કે ગુરૂવાર સુધીમાં હાઉસીંગ રીડેવલપમેન્ટ પોલીસીને લઈને અત્યાર સુધીમાં મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હવે પ્રજાલક્ષી સકારાત્મક નિર્ણય ના આવે કે લોલીપોપ મળે તો હાઉસીંગના રહીશોએ પોતાની આંખો ખોલવી જોઈએ.

તેઓએ પણ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે રાજકારણ આપણો વિષય નથી પણ સમયની માંગ સાથે હાઉસીંગનું પ્રતિનિધિત્વ રાજકારણમાં લાવવું જોઈએ અથવા કોઈપણ પક્ષ હાઉસીંગના ઉમેદવારને ટીકીટ આપે તો તેને સમર્થન હાઉસિંગના રહીશોએ એક મત થઈ આપવું જોઈએ. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ ના અભિપ્રાય જણાવવા વિનંતી.

આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકારમાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે પ્રશ્નો પેન્ડિંગ છે. તમામ પ્રશ્નોનું ચૂંટણી પહેલા સરકાર ઝડપી નિરાકરણ લાવે એવી માંગણી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના નેતાઓ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી આ બાબતે આંદોલન કરવા માંગે છે. પરંતુ અમો આ બાબતે રાજકારણ કરવા માગતા નથી. તેથી અમો તેઓને સહકાર આપતાં નથી. પરંતુ ચૂંટણીઓની તારીખની જાહેરાત થાય એ પહેલા હાઉસીંગના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.

તેઓએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો તા.24-08-2022 સુધીમાં સરકાર દ્વારા હાઉસીંગના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો ઠીક છે, જો નહિ લાવવામાં આવે તો ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના તમામ હોદ્દેદારો તથા એસોસિયેશનાના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ કરી વિરોધ પક્ષનો સહકાર લેવો કે કેમ તે નક્કી કરવામાં આવશે. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ નો અભિપ્રાય જણાવવા વિનંતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...