Wednesday, January 14, 2026

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં ! સરકાર મચક નહીં આપે તો છોડાશે આ ‘બ્રહ્માસ્ત્ર’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ અને ચોમાસા બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને હાઉસીંગના રહીશો દ્વારા રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

હાઉસીંગના રહીશો, જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફારની જાહેરાત ન થતા હાઉસીંગના રહીશો ફરી એક વાર લડી લેવાના મૂડમાં હોય તેવું જણાવી રહ્યા છે.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીએ પણ આગામી બુધવાર કે ગુરૂવાર સુધીમાં હાઉસીંગ રીડેવલપમેન્ટ પોલીસીને લઈને અત્યાર સુધીમાં મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હવે પ્રજાલક્ષી સકારાત્મક નિર્ણય ના આવે કે લોલીપોપ મળે તો હાઉસીંગના રહીશોએ પોતાની આંખો ખોલવી જોઈએ.

તેઓએ પણ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે રાજકારણ આપણો વિષય નથી પણ સમયની માંગ સાથે હાઉસીંગનું પ્રતિનિધિત્વ રાજકારણમાં લાવવું જોઈએ અથવા કોઈપણ પક્ષ હાઉસીંગના ઉમેદવારને ટીકીટ આપે તો તેને સમર્થન હાઉસિંગના રહીશોએ એક મત થઈ આપવું જોઈએ. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ ના અભિપ્રાય જણાવવા વિનંતી.

આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકારમાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે પ્રશ્નો પેન્ડિંગ છે. તમામ પ્રશ્નોનું ચૂંટણી પહેલા સરકાર ઝડપી નિરાકરણ લાવે એવી માંગણી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના નેતાઓ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી આ બાબતે આંદોલન કરવા માંગે છે. પરંતુ અમો આ બાબતે રાજકારણ કરવા માગતા નથી. તેથી અમો તેઓને સહકાર આપતાં નથી. પરંતુ ચૂંટણીઓની તારીખની જાહેરાત થાય એ પહેલા હાઉસીંગના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.

તેઓએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો તા.24-08-2022 સુધીમાં સરકાર દ્વારા હાઉસીંગના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો ઠીક છે, જો નહિ લાવવામાં આવે તો ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના તમામ હોદ્દેદારો તથા એસોસિયેશનાના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ કરી વિરોધ પક્ષનો સહકાર લેવો કે કેમ તે નક્કી કરવામાં આવશે. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ નો અભિપ્રાય જણાવવા વિનંતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...