Sunday, April 19, 2026

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં ! સરકાર મચક નહીં આપે તો છોડાશે આ ‘બ્રહ્માસ્ત્ર’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ અને ચોમાસા બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને હાઉસીંગના રહીશો દ્વારા રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

હાઉસીંગના રહીશો, જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફારની જાહેરાત ન થતા હાઉસીંગના રહીશો ફરી એક વાર લડી લેવાના મૂડમાં હોય તેવું જણાવી રહ્યા છે.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીએ પણ આગામી બુધવાર કે ગુરૂવાર સુધીમાં હાઉસીંગ રીડેવલપમેન્ટ પોલીસીને લઈને અત્યાર સુધીમાં મ્યુ કાઉન્સિલરથી લઈને મુખ્યમંત્રી સુધીની રજુઆતો, દેખાવો, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો બાદ પણ હવે પ્રજાલક્ષી સકારાત્મક નિર્ણય ના આવે કે લોલીપોપ મળે તો હાઉસીંગના રહીશોએ પોતાની આંખો ખોલવી જોઈએ.

તેઓએ પણ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે રાજકારણ આપણો વિષય નથી પણ સમયની માંગ સાથે હાઉસીંગનું પ્રતિનિધિત્વ રાજકારણમાં લાવવું જોઈએ અથવા કોઈપણ પક્ષ હાઉસીંગના ઉમેદવારને ટીકીટ આપે તો તેને સમર્થન હાઉસિંગના રહીશોએ એક મત થઈ આપવું જોઈએ. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ ના અભિપ્રાય જણાવવા વિનંતી.

આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકારમાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટમાં સોસાયટીના બે ભાગ ન પાડવા વગેરે પ્રશ્નો પેન્ડિંગ છે. તમામ પ્રશ્નોનું ચૂંટણી પહેલા સરકાર ઝડપી નિરાકરણ લાવે એવી માંગણી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના નેતાઓ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી આ બાબતે આંદોલન કરવા માંગે છે. પરંતુ અમો આ બાબતે રાજકારણ કરવા માગતા નથી. તેથી અમો તેઓને સહકાર આપતાં નથી. પરંતુ ચૂંટણીઓની તારીખની જાહેરાત થાય એ પહેલા હાઉસીંગના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.

તેઓએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો તા.24-08-2022 સુધીમાં સરકાર દ્વારા હાઉસીંગના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો ઠીક છે, જો નહિ લાવવામાં આવે તો ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના તમામ હોદ્દેદારો તથા એસોસિયેશનાના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ કરી વિરોધ પક્ષનો સહકાર લેવો કે કેમ તે નક્કી કરવામાં આવશે. આ બાબતે તમામ એસોસિયેશનના હોદેદારો અને કાર્યકરોનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. આપ સૌ નો અભિપ્રાય જણાવવા વિનંતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...