Friday, March 20, 2026

અમદાવાદમાં આ અંડરપાસ 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે. SP રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસમાં 5 કે 7 નવેમ્બરથી રેલવે કલ્વર્ટમાં રીપેરીંગ કામ શરૂ કરાશે. જેના કારણે SP રિંગ રોડ પરના બંને રસ્તાને વારાફરતી 20-20 દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કામગીરી કુલ 40 દિવસ સુધી ચાલશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદાર પટેલ રિંગ રોડ પર ત્રાગડ અંડર પાસ, ભાટ ઓવરબ્રિજ અને કમોડ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર ખાડા પડવાની ફરિયાદો વધી હતી. જેના પગલે ઇજનેર વિભાગ દ્વારા ત્રણે જગ્યા પર રોડને મજબૂત કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.આ રિપેરિંગ કામ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં SP રિંગ રોડ પરના બંને રસ્તા વારાફરતી 20-20 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણયની સીધી અસર ખાસ કરીને ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા વાહનચાલકો પર પડશે.

ઔડા દ્વારા આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે, જે દિવસના 18થી 20 કલાક કામ કરશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, રોડ પરથી વાહનો પસાર થતાં ડામર વારંવાર ઉખડી જતો હોવાથી આ વખતે આખો ભાગ સિમેન્ટ કોન્ક્રીટ (RCC) વડે નવો બનાવવામાં આવશે. આનાથી સરફેસ ખૂબ જ મજબૂત બનશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે.

જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, કામગીરીના પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. આ સમયે વાહનચાલકોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલ થઈ, મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનું રહેશે.

જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. તે સમયે વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ થઈ, અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવવાનું રહેશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા માટે વાહનચાલકોને અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.

એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...