Saturday, November 8, 2025

અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મને ટક્કર આપે તેવી ઘટના, ઘરના રસોડામાંથી દાટી દીધેલું માનવ કંકાલ મળી આવ્યું, તપાસમાં મોટા ખુલાસો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં ક્રાઇમબ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાં એક મકાનના રસોડામાંથી કંકાલ શોધી કાઢીને એકાદ વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુના પરથી પરદો ઊંચક્યો છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી યુવકનું કંકાલ મળી આવતા હવે ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મૃતક યુવકની પત્નીએ જ પ્રેમી સાથે મળીને મૃતદેહ દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કોઈને જાણ ના થાય તે માટે તેના પર નવી ટાઇલ્સ પણ લગાવી દીધી હતી. જો કે આ મામલે ક્રાઇમબ્રાન્ચે મહિલા સહિત બે લોકોની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પૂરૂષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાંચે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરીને રસોડામાં મૃતદેહ દાટીને ચણતર કરાવી દીધુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઇન્સપેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમે દૃશ્યમ ફિલ્મ જેવી જ એક વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ફતેવાડીમાં આવેલા અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. સમીરની પત્ની તેનો પતિ ઝગડો કરીને જતો રહ્યો તેવું જુઠ્ઠાણુ ચલાવતી હતી.

ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં સમીરની પત્ની રૂબિ પડી ભાંગી હતી. તેણે કબૂલાત કરી કે તે થોડા સમય પહેલાં પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી. રૂબિને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર વિરોધ કરતો હતો. જેના કારણે બંનેએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આશરે એકાદ વર્ષ પહેલાં સમીરની હત્યા કરીને લાશ જમીનમાં દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે તેવા બહાના બતાવીને વાત ટાળી દેતા હતા.

આટલા સમયથી કોઈને જાણ થઈ ન હતી. જોકે પોલીસે એફએસએલ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કેસમાં આ સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ અન્ય ખુલાસા પણ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...