Saturday, February 7, 2026

અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મને ટક્કર આપે તેવી ઘટના, ઘરના રસોડામાંથી દાટી દીધેલું માનવ કંકાલ મળી આવ્યું, તપાસમાં મોટા ખુલાસો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં ક્રાઇમબ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાં એક મકાનના રસોડામાંથી કંકાલ શોધી કાઢીને એકાદ વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુના પરથી પરદો ઊંચક્યો છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી યુવકનું કંકાલ મળી આવતા હવે ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મૃતક યુવકની પત્નીએ જ પ્રેમી સાથે મળીને મૃતદેહ દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કોઈને જાણ ના થાય તે માટે તેના પર નવી ટાઇલ્સ પણ લગાવી દીધી હતી. જો કે આ મામલે ક્રાઇમબ્રાન્ચે મહિલા સહિત બે લોકોની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પૂરૂષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાંચે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરીને રસોડામાં મૃતદેહ દાટીને ચણતર કરાવી દીધુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઇન્સપેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમે દૃશ્યમ ફિલ્મ જેવી જ એક વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ફતેવાડીમાં આવેલા અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. સમીરની પત્ની તેનો પતિ ઝગડો કરીને જતો રહ્યો તેવું જુઠ્ઠાણુ ચલાવતી હતી.

ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં સમીરની પત્ની રૂબિ પડી ભાંગી હતી. તેણે કબૂલાત કરી કે તે થોડા સમય પહેલાં પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી. રૂબિને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર વિરોધ કરતો હતો. જેના કારણે બંનેએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આશરે એકાદ વર્ષ પહેલાં સમીરની હત્યા કરીને લાશ જમીનમાં દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે તેવા બહાના બતાવીને વાત ટાળી દેતા હતા.

આટલા સમયથી કોઈને જાણ થઈ ન હતી. જોકે પોલીસે એફએસએલ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કેસમાં આ સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ અન્ય ખુલાસા પણ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...