Saturday, April 25, 2026

અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મને ટક્કર આપે તેવી ઘટના, ઘરના રસોડામાંથી દાટી દીધેલું માનવ કંકાલ મળી આવ્યું, તપાસમાં મોટા ખુલાસો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં ક્રાઇમબ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાં એક મકાનના રસોડામાંથી કંકાલ શોધી કાઢીને એકાદ વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુના પરથી પરદો ઊંચક્યો છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી યુવકનું કંકાલ મળી આવતા હવે ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મૃતક યુવકની પત્નીએ જ પ્રેમી સાથે મળીને મૃતદેહ દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કોઈને જાણ ના થાય તે માટે તેના પર નવી ટાઇલ્સ પણ લગાવી દીધી હતી. જો કે આ મામલે ક્રાઇમબ્રાન્ચે મહિલા સહિત બે લોકોની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પૂરૂષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાંચે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરીને રસોડામાં મૃતદેહ દાટીને ચણતર કરાવી દીધુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઇન્સપેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમે દૃશ્યમ ફિલ્મ જેવી જ એક વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ફતેવાડીમાં આવેલા અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. સમીરની પત્ની તેનો પતિ ઝગડો કરીને જતો રહ્યો તેવું જુઠ્ઠાણુ ચલાવતી હતી.

ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં સમીરની પત્ની રૂબિ પડી ભાંગી હતી. તેણે કબૂલાત કરી કે તે થોડા સમય પહેલાં પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી. રૂબિને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર વિરોધ કરતો હતો. જેના કારણે બંનેએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આશરે એકાદ વર્ષ પહેલાં સમીરની હત્યા કરીને લાશ જમીનમાં દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે તેવા બહાના બતાવીને વાત ટાળી દેતા હતા.

આટલા સમયથી કોઈને જાણ થઈ ન હતી. જોકે પોલીસે એફએસએલ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કેસમાં આ સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ અન્ય ખુલાસા પણ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...