Saturday, November 8, 2025

ઇસ્કોન ચાર રસ્તા નજીક દબાણ હટાવવા ગયેલી AMC ની ટીમ પર હુમલો, એકને માથામાં ઇજા, 3ની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન ચાર રસ્તા નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દબાણ હટાવ વિભાગની કામગીરી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પહોંચેલા AMC ના કર્મચારીઓ અને દબાણકર્તા જૂથ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું, જેના પરિણામે ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી. આ મામલે ત્રણ લારી ગલ્લા વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMC નું દબાણ હટાવ વિભાગ નિયમિત કામગીરીના ભાગરૂપે ઇસ્કોન ચાર રસ્તાની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગયું હતું. આ દરમિયાન, દબાણકર્તાઓએ સત્તાવાળાઓનો વિરોધ કર્યો અને મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો. વિરોધે આક્રમક વળાંક લીધો અને દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘર્ષણ દરમિયાન, દબાણ વિભાગના એક મજૂરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે મજૂરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ત્રણેયને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા પ્રેમસિંગ કુંભસિંગ યાદવ, જયસિંહ કુંભસિંગ યાદવ અને ચરણસિંગ કુંભસિંગ યાદવ (રહે. જય અંબે હોટલની પાછળ મનુભાઈ પટેલના મકાનમાં સેટેલાઈટ) હોવાનું જાણવા મળ્યું હતું.આ બાબતે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી ત્રણેય ની ધરપકડ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...