Wednesday, March 4, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-ફૂડ ફેસ્ટિવલ યોજાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી બુક ફેર-ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં 13 થી 16 નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં દેશ અને વિદેશના માસ્ટર શેફસના લાઈવ કૂકિંગ શો ઉપરાંત પુરીના જગન્નાથ મંદિરના ભોગ પ્રસાદ સાથેનુ પેવેલિયન આકર્ષણનુ કેન્દ્ર બનશે. ભારત ઉપરાંત નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગ લેશે.આ ઉપરાંત 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી બુક ફેર યોજાશે. આ વર્ષે આ મેળાને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 તરીકે ઓળખવામાં આવશે, જેમાં 1000 થી વધુ પ્રકાશકોના પુસ્તકોનું વિશાળ પ્રદર્શન જોવા મળશે સાથે જ અનેક સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 13 નવેમ્બરથી ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 7 દિવસ માટે બુક ફેર યોજાશે. જ્યારે 13થી 16 નવેમ્બર સુધી ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલ યોજાશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની વાંચન પ્રિય અને સાહિત્ય પ્રેમી જનતા બુક ફેરનો લાભ લઈ શકશે. 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યોજાશે. લોકોમાં વાંચન અને સાહિત્ય પ્રત્યે રુચિ વધે અને પ્રેરણા મળે તેના માટે થઈને આ બુક ફેરી યોજાયો છે. બાળકો માટે મનોરંજનની પ્રવૃત્તિને લઈ અર્થી પાંચ સુધી અનેક પ્રવૃત્તિઓ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિયેશનના સહયોગથી યોજાનારા ફૂડ ફેસ્ટિવલમાં ટેસ્ટ ઓફ લકઝરી તથા ધ રીજનલ ફલેવર એમ બે પ્રકારના થીમ ઉપર ફૂડ કોર્ટ તૈયાર કરવામા આવ્યા છે. રિજનલ ફલેવરમાં ફલેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામા આવશે. ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન તૈયાર કરવામા આવશે. લકઝરી પેવેલિયનમાં પ્રતિષ્ઠીત હોટલો દ્વારા વાનગી પીરસવામા આવશે.

ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરીચ્યુઅલ પેવેલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાંથી આપવામા આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટીંગ બુ્રઈંગ અને વર્કશોપ સાથે માહીતીની આપ લે કરવામા આવશે. ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ, ફૂડ ક્રીટીક અને લેખિકા રશ્મિ ઉદય સિંઘ, શેફ અભિજિત સાહા, ગૌતમ મહર્ષિ, નેપાળના લેખિકા રોહીણી રાણા, પદ્મશ્રી ડોકટર પુષ્પેશ પંત હાજર રહેશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં બપોરના સમયે બાળકો માટે કિડ્સ રિલેટેડ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, જ્યારે રાત્રે સાહિત્ય ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓનાં પ્રવચનો, કવી સંમેલનો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રકાશકો પણ આ બુક ફેરમાં સક્રિય રીતે ભાગ લેશે. પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે બુક ફેસ્ટિવલની સાથે લેખન મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા રંગમાં અભિક કલ્પસાહિત્ય જેવા વિવિધ આકર્ષણો પણ રહેશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં અનેક રાષ્ટ્રીય ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે, જેમાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન, કે. વિજય કુમાર (નિવૃત્ત આઈપીએસ) તેમજ સ્વપ્નિલ પાંડે હાજર રહેશે. તે ઉપરાંત મોરારી બાપુ, તુષાર શુક્લ, ભાગ્યેશ ઝા અને જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ સાહિત્ય અને આધ્યાત્મિકતાના સંગમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી લોકગીતો અને સાહિત્ય પર જીવંત પ્રદર્શન કરશે. વિચાર મંથન અંતર્ગત સ્વદેશી અને આત્મનિર્ભરતા વિષય પર વિવિધ વ્યાખ્યાનો યોજાશે. આ ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિશુલ્ક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...