Wednesday, January 14, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-ફૂડ ફેસ્ટિવલ યોજાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી બુક ફેર-ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં 13 થી 16 નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં દેશ અને વિદેશના માસ્ટર શેફસના લાઈવ કૂકિંગ શો ઉપરાંત પુરીના જગન્નાથ મંદિરના ભોગ પ્રસાદ સાથેનુ પેવેલિયન આકર્ષણનુ કેન્દ્ર બનશે. ભારત ઉપરાંત નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગ લેશે.આ ઉપરાંત 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી બુક ફેર યોજાશે. આ વર્ષે આ મેળાને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 તરીકે ઓળખવામાં આવશે, જેમાં 1000 થી વધુ પ્રકાશકોના પુસ્તકોનું વિશાળ પ્રદર્શન જોવા મળશે સાથે જ અનેક સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 13 નવેમ્બરથી ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 7 દિવસ માટે બુક ફેર યોજાશે. જ્યારે 13થી 16 નવેમ્બર સુધી ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલ યોજાશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની વાંચન પ્રિય અને સાહિત્ય પ્રેમી જનતા બુક ફેરનો લાભ લઈ શકશે. 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યોજાશે. લોકોમાં વાંચન અને સાહિત્ય પ્રત્યે રુચિ વધે અને પ્રેરણા મળે તેના માટે થઈને આ બુક ફેરી યોજાયો છે. બાળકો માટે મનોરંજનની પ્રવૃત્તિને લઈ અર્થી પાંચ સુધી અનેક પ્રવૃત્તિઓ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિયેશનના સહયોગથી યોજાનારા ફૂડ ફેસ્ટિવલમાં ટેસ્ટ ઓફ લકઝરી તથા ધ રીજનલ ફલેવર એમ બે પ્રકારના થીમ ઉપર ફૂડ કોર્ટ તૈયાર કરવામા આવ્યા છે. રિજનલ ફલેવરમાં ફલેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામા આવશે. ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન તૈયાર કરવામા આવશે. લકઝરી પેવેલિયનમાં પ્રતિષ્ઠીત હોટલો દ્વારા વાનગી પીરસવામા આવશે.

ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરીચ્યુઅલ પેવેલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાંથી આપવામા આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટીંગ બુ્રઈંગ અને વર્કશોપ સાથે માહીતીની આપ લે કરવામા આવશે. ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ, ફૂડ ક્રીટીક અને લેખિકા રશ્મિ ઉદય સિંઘ, શેફ અભિજિત સાહા, ગૌતમ મહર્ષિ, નેપાળના લેખિકા રોહીણી રાણા, પદ્મશ્રી ડોકટર પુષ્પેશ પંત હાજર રહેશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં બપોરના સમયે બાળકો માટે કિડ્સ રિલેટેડ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, જ્યારે રાત્રે સાહિત્ય ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓનાં પ્રવચનો, કવી સંમેલનો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રકાશકો પણ આ બુક ફેરમાં સક્રિય રીતે ભાગ લેશે. પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે બુક ફેસ્ટિવલની સાથે લેખન મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા રંગમાં અભિક કલ્પસાહિત્ય જેવા વિવિધ આકર્ષણો પણ રહેશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં અનેક રાષ્ટ્રીય ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે, જેમાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન, કે. વિજય કુમાર (નિવૃત્ત આઈપીએસ) તેમજ સ્વપ્નિલ પાંડે હાજર રહેશે. તે ઉપરાંત મોરારી બાપુ, તુષાર શુક્લ, ભાગ્યેશ ઝા અને જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ સાહિત્ય અને આધ્યાત્મિકતાના સંગમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી લોકગીતો અને સાહિત્ય પર જીવંત પ્રદર્શન કરશે. વિચાર મંથન અંતર્ગત સ્વદેશી અને આત્મનિર્ભરતા વિષય પર વિવિધ વ્યાખ્યાનો યોજાશે. આ ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિશુલ્ક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...