Wednesday, March 11, 2026

અમદાવાદ સિવિલમાં અદ્યતન મશીનનું લોકાર્પણ, કેન્સરના નિદાનના 10 રીપોર્ટ માત્ર 1 કલાકમાં મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના નિદાન માટે એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દ્વારા હોસ્પિટલના ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં રૂપિયા 44 લાખની કિંમતના બે અત્યાધુનિક, જર્મન ટેકનોલોજીના પેટ સીટી અને સ્પેક્ટ સીટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, GCRIના ડિરેકટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું કે આ મશીનોની મદદથી દર્દીના આખા શરીરનું સ્કેનિંગ માત્ર 5 મિનિટમાં કરીને કેન્સરગ્રસ્ત અંગનું સચોટ નિદાન થઈ શકશે. અગાઉ 1 કલાકમાં માત્ર 4 રિપોર્ટ થતા હતા, જે હવે વધીને 10 થશે, જેથી સારવાર ઝડપી બનશે.આ સાથે જ, સિવિલની સ્પાઈન ઇન્સ્ટિટ્યુટના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (PO) વિભાગમાં ONGC દ્વારા CSR હેઠળ રૂ।. 20 લાખના 3 અદ્યતન મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ આવતા સરેરાશ 5થી 7 કૃત્રિમ અંગોના દર્દીઓને મળશે.

જ્યાં ખાનગી સેન્ટરોમાં આ રિપોર્ટનો ખર્ચ રૂ 25 થી 40 હજાર થતો હોય છે, તે જ રિપોર્ટ GCRIમાં માત્ર રૂ 10 થી 15 હજારમાં ઉપલબ્ધ થશે. આ મશીનો હૃદયની સ્થિતિ, કાર્ડિયાક પ્લાનિંગ અને વિવિધ પ્રકારના કેન્સરના નિદાનમાં મદદરૂપ થશે.અમદાવાદ સિવિલમાં સારવાર માટેના મશીનોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...