Sunday, November 9, 2025

અમદાવાદમાં રિનોવેટ નવી બાલવાટિકાની એક મહિનામાં બે લાખ લોકોએ લીધી મુલાકાત, AMC એ કરી કમાણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે રિનોવેટ થયેલી બાલવાટિકા ફન કાર્નિવલ બાળકો અને તેમની સાથે માતા-પિતાને આકર્ષવામાં સફળ થયું છે. ફક્ત ઓક્ટોબરમાં જ લગભગ 2.75 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક પણ થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકા, એક ઐતિહાસિક ચિલ્ડ્રન પાર્ક, મૂળરૂપે 1956માં સ્થપાયેલ અને તાજેતરમાં જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ અપગ્રેડ કરવામાં આવ્યું હતું, આ વર્ષની શરૂઆતમાં સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર અને વિવિધ સાહસિક રાઇડ્સ જેવી આકર્ષક નવી સુવિધાઓ સાથે તેના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. વર્ષો જૂનો કાંકરિયાની ઓળખસમો બાલવાટિકા ચિલ્ડ્રન્સ પાર્ક તાજેતરમાં PPP મોડેલ હેઠળ રિનોવેટ થયો હતો, જેમાં ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. આ પાર્કની મુલાકાત એક મહિનાના 28 વર્કિંગ ડેઝમાં કુલ, 2,74,849 મુલાકાતીઓએ લીધી હતી એટલે કે રોજના 9,816 જણ પાર્કમાં આવ્યા હતા.

દિવાળી પછીના સમયગાળા દરમિયાન 21 થી 26 ઓક્ટોબર દરમિયાન દૈનિક મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી હતી, ત્યારબાદ આગામી છ દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા 20,000 ને વટાવી ગઈ હતી. 25ઓક્ટોબર, શનિવારનો દિવસ હતો, જ્યારે 32,367 લોકો અહીં આવ્યા હતા.

આ મુલાકાતીઓએ પાલિકાને કુલ રૂ. 84.51 લાખની કમાણી કરાવી છે, જેમાંથી અમુક રકમ ભાડાપેટે પણ પાલિકાને મળી હતી.દરમિયાન, કાંકરિયા લેકફ્રન્ટમાં 6.52 લાખ લોકો આવ્યા હતા, જેણે રૂ.59.96 લાખની થઈ કિડ્સ સિટીમાં 5277 મુલાકાતીઓ આવ્યા હતા, જેણે રૂ. 3.79 લાખ, જ્યારે લેકફ્રન્ટ ટ્રેનમાં 61305 મુસાફરોએ સફર કરી રૂ. 15.08 લાખની આવક પાલિકાને કરાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...