Friday, November 14, 2025

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર : હવે બ્રિજને બદલે રોડ બનાવાશે, ટ્રાફિકની સમસ્યા જૈસે થે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વિવાદિત અને ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર આવ્યા છે. શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને મોડે મોડે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યાં જ AMC ના નવા ફરમાનથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. બ્રિજ તોડવાની કામગીરી 35% પૂર્ણ થયા બાદ આખો બ્રિજ તોડી ત્યાં નવો બ્રિજ બનાવવાને બદલે AMC ત્યાં રોડ બનાવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિવિધ કામોને લઈને ચર્ચા થઈ હતી. તેમજ તેમજ વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને નવો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે. હાટકેશ્વર બ્રિજના સ્થળે ફરી કોઈ બ્રિજ નહીં બને. આમ પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ તંત્ર પણ માત્ર ત્યાં રોડ બનાવી સંતોષ માની લેશે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ ડીમોલેશન કામ 35 ટકા પૂર્ણ થયું છે. 6 મહિનામાં સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો અંદાજ છે. હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ તે સ્થળે બ્રિજ નહિ પણ રોડ બનાવાનું આયોજન છે. હાટકેશ્વર ખાતે કોઈ પણ રોડ નહિ બને.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...