Saturday, September 19, 2026

નારણપુરા, સાબરમતી અને જમાલપુર-ખાડિયા વિસ્તારમાં સંબંધિત મતદાર નોંધણી કચેરીઓ દ્વારા કેમ્પનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાં BLO દ્વારા એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે પણ સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા, સાબરમતી અને જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે સ્થળાંતર થયેલા નાગરિકો માટે તા.15 અને 16 નવેમ્બરે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે 45 નારણપુરા, 55-સાબરમતી વિધાનસભા અને 52-જમાલપુર-ખાડિયાના મતદાર નોંધણી અધિકારીઓની અખબારી યાદીઓમાં જણાવ્યા અનુસાર શહેરના સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારમાં સમાવિષ્ટ જે વિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે નાગરિકોએ સ્થળાંતર કર્યું છે, તેવા મતદારોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી શકે અને ભરીને પરત આપી શકે તે હેતુસર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર અને રવિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે જમાલપુર-ખાડિયામાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક ખાતેથી એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, જમાલપુર-ખાડિયા વિધાનસભા મત વિસ્તારમાં તા.15-16 ઉપરાંત તા.22 અને 23 નવેમ્બરે પણ ઉપરોક્ત સ્થળે કેમ્પ યોજાશે.આથી, સબંધિત તમામ મતદારોને આ કેમ્પનો લાભ લેવા સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...