Friday, November 14, 2025

નારણપુરા, સાબરમતી અને જમાલપુર-ખાડિયા વિસ્તારમાં સંબંધિત મતદાર નોંધણી કચેરીઓ દ્વારા કેમ્પનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાં BLO દ્વારા એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે પણ સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા, સાબરમતી અને જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે સ્થળાંતર થયેલા નાગરિકો માટે તા.15 અને 16 નવેમ્બરે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે 45 નારણપુરા, 55-સાબરમતી વિધાનસભા અને 52-જમાલપુર-ખાડિયાના મતદાર નોંધણી અધિકારીઓની અખબારી યાદીઓમાં જણાવ્યા અનુસાર શહેરના સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારમાં સમાવિષ્ટ જે વિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે નાગરિકોએ સ્થળાંતર કર્યું છે, તેવા મતદારોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી શકે અને ભરીને પરત આપી શકે તે હેતુસર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર અને રવિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે જમાલપુર-ખાડિયામાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક ખાતેથી એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, જમાલપુર-ખાડિયા વિધાનસભા મત વિસ્તારમાં તા.15-16 ઉપરાંત તા.22 અને 23 નવેમ્બરે પણ ઉપરોક્ત સ્થળે કેમ્પ યોજાશે.આથી, સબંધિત તમામ મતદારોને આ કેમ્પનો લાભ લેવા સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...