Saturday, April 25, 2026

અમદાવાદમાં ડાયાબિટીસ દિવસની ઉજવણી ! 100 થી વધુ સ્થળે યોજાયેલ કેમ્પમાં 10 હજારથી વધુ લોકોએ કરાવ્યું સુગર ચેકઅપ

spot_img
Share

અમદાવાદ : વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા શહેરભરમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 50થી વધુ ગાર્ડન, 25 આરોગ્ય કેન્દ્રો અને 50 ક્લિનિકોમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની તપાસની સુવિધાઓ ધરાવતો મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં ડાયાબિટીસની વધતી જતી ચિંતાજનક સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો અને વહેલી તકે નિદાનનું મહત્વ સમજાવવાનો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ 103 અલગ અલગ સ્થળે સહિત મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડનમાં યોજાયો હતો. આ જાગૃતિ અભિયાનમાં IMA, અમદાવાદ મહાનગરપાલિકા (AMC), ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (FPA) સંયુક્ત રીતે જોડાયા હતા. શહેરના વિવિધ જાહેર સ્થળો અને ગાર્ડનોમાં કુલ 6 જેટલા કેન્દ્રો પર નિ:શુલ્ક સુગર સ્ક્રિનિંગ (રક્ત શર્કરા તપાસ) અને બ્લડ પ્રેશર (BP) ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા. આ એક દિવસીય કાર્યક્રમમાં અંદાજે 10000 થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી લાભ લીધો હતો.

નિ:શુલ્ક સુગર સ્ક્રિનિંગ (રક્ત શર્કરા તપાસ) અને બ્લડ પ્રેશર (BP) ચેકઅપ કેમ્પમાં જે 2,221 નાગરિકોની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 29% લોકોમાં હાઈપરગ્લાયકેમિઆ (હાઈ બ્લડ સુગર) ના લક્ષણો જોવા મળ્યા હતા અને 35% લોકોમાં હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) હોવાનું જણાયું હતું.

પ્રારંભિક પરિણામો શેર કરતા, AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે 644 વ્યક્તિઓમાં બ્લડ સુગરનું સ્તર વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. “તેમને વધુ નિદાન પરીક્ષણો કરાવવા અને સુધારાત્મક જીવનશૈલી અને આહારમાં ફેરફાર અપનાવવાની સલાહ આપવામાં આવી છે,” તેમણે ઉમેર્યું હતું કે 772 લોકોમાં હાઈ બ્લડ પ્રેશર હોવાનું જણાયું હતું – જે સ્ક્રીન કરાયેલા દરેક ત્રણ નાગરિકોમાંથી લગભગ એક છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર તથા ડોક્ટરોએ વધતા ડાયાબિટીસના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે, ડાયાબિટીસનું સમયસર નિદાન અત્યંત જરૂરી છે, કારણ કે તે આંખ, હૃદય સહિત અનેક ગંભીર રોગોને જન્મ આપી શકે છે. ખાસ કરીને બાળકોમાં વધી રહેલા પ્રી-ડાયાબિટીસના કેસોને ધ્યાનમાં રાખીને વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.

તબીબી નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ ભારતમાં ડાયાબિટીસની અત્યંત ગંભીર અને ભયાનક સ્થિતિ દર્શાવે છે. હાલમાં, દેશમાં અંદાજે 101 મિલિયન (લગભગ 10.1 કરોડ) લોકો સત્તાવાર રીતે ડાયાબિટીસના દર્દીઓ તરીકે પીડિત છે. આ ઉપરાંત, આરોગ્ય માટે બીજું મોટું જોખમ એ છે કે અન્ય 136 મિલિયન (લગભગ 13.6 કરોડ) લોકો પ્રી-ડાયાબિટીસની ઝોનમાં છે, એટલે કે તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણ-વિકસિત ડાયાબિટીસના રોગી બની શકે છે. આ આંકડાઓ દેશમાં સ્વાસ્થ્ય કટોકટી તરફ ઈશારો કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...