Sunday, November 16, 2025

નવા વર્ષે અમદાવાદને મળશે નવું નજરાણું, ઇતિહાસ અને વિકાસની ઝલક દર્શાવતું લિનિયર ગાર્ડન ખુલ્લુ મુકાશે

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ.12 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે ગાર્ડન. રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે એક કિલોમીટર લાંબુ લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ બગીચો માત્ર હરવા-ફરવાનું સ્થળ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા PPP મોડેલ પર વિકસાવાયેલું આ લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરીજનો માટે ખુલ્લું મૂકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક-વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક તો વધશે જ, સાથે સાથે અમદાવાદવાસીઓને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પણ પૂરું પાડશે.

રિવરફ્રન્ટ પર બનેલા આ લીનિયર ગાર્ડનને લઈને અમદાવાદવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે. નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે.લીનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે, તે નક્કી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...