અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ.12 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે ગાર્ડન. રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે એક કિલોમીટર લાંબુ લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ બગીચો માત્ર હરવા-ફરવાનું સ્થળ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા PPP મોડેલ પર વિકસાવાયેલું આ લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરીજનો માટે ખુલ્લું મૂકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક-વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક તો વધશે જ, સાથે સાથે અમદાવાદવાસીઓને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પણ પૂરું પાડશે.
રિવરફ્રન્ટ પર બનેલા આ લીનિયર ગાર્ડનને લઈને અમદાવાદવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે. નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે.લીનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે, તે નક્કી છે.


