Saturday, March 7, 2026

તારીખ પર તારીખ બાદ હવે વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના નામે વીસ મહીનાથી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ છે. છ મહીનામા તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી કરાશે એવી ગુલબાંગ સત્તાધીશો દ્વારા હાંકવામાં આવી હતી. વસ્ત્રાપુર તળાવમાં ડેવલપ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોડકદેવ વોર્ડમા આવેલા વસ્ત્રાપુર તળાવને ફેબુ્આરી-2024 થી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ એ સમયે છ મહીનામા તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પુરી કરાશે એવી જાહેરાત કરાઈ હતી.AMC એ શરૂઆતમાં સમારકામ માટે ₹ એક કરોડ ફાળવ્યા હતા, ત્યારબાદ ભૂવા પૂરવા માટે થોડા લાખ ફાળવ્યા હતા. આખરે, અધિકારીઓએ સંપૂર્ણ પાયે પુનર્વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. વૉક વે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ઉંદરોએ ઊંડા ખાડાઓ કર્યા હતા, જેના કારણે રસ્તાના કેટલાક ભાગો તૂટી પડ્યા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં, મૂળ પ્રોજેક્ટ ખર્ચ ₹ 5 કરોડથી વધીને ₹ 8 કરોડ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટના સતત વિલંબ થઈ રહ્યો છે, ઘણી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. અનેક ડિઝાઇન ફેરફારોને કારણે ખર્ચમાં પણ તીવ્ર વધારો થયો છે. તળાવને ફેબ્રુઆરી ૨૦૨૪ માં સમારકામ માટે બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે AMC દ્વારા છ મહિનાની સમયરેખા જાહેર કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓ તો ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. જૂન 2022માં ભારે વરસાદને કારણે તળાવની પાળને કેટલાક સ્થળોએ નુકસાન થયું હતું. તેમજ ભૂવા પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન તેનું સ્તર જાળવી રાખવામાં આવશે. અગાઉ તળાવમાં કચરો ઠાલવતી અડધો ડઝનથી વધુ ગટર લાઇનોને ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી. એક નવો 2 મિલિયન લિટર પ્રતિ દિવસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વિચારણા હેઠળ છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ આવવાની હોવાથી, સત્તાધારી પક્ષ અધિકારીઓને મુખ્ય પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી રહ્યો છે. દાણીએ જણાવ્યું હતું કે, તળાવના ઉદ્ઘાટન માટે કામચલાઉ ધોરણે 5 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...