Thursday, December 11, 2025

તારીખ પર તારીખ બાદ હવે વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના નામે વીસ મહીનાથી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ છે. છ મહીનામા તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી કરાશે એવી ગુલબાંગ સત્તાધીશો દ્વારા હાંકવામાં આવી હતી. વસ્ત્રાપુર તળાવમાં ડેવલપ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોડકદેવ વોર્ડમા આવેલા વસ્ત્રાપુર તળાવને ફેબુ્આરી-2024 થી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ એ સમયે છ મહીનામા તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પુરી કરાશે એવી જાહેરાત કરાઈ હતી.AMC એ શરૂઆતમાં સમારકામ માટે ₹ એક કરોડ ફાળવ્યા હતા, ત્યારબાદ ભૂવા પૂરવા માટે થોડા લાખ ફાળવ્યા હતા. આખરે, અધિકારીઓએ સંપૂર્ણ પાયે પુનર્વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. વૉક વે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ઉંદરોએ ઊંડા ખાડાઓ કર્યા હતા, જેના કારણે રસ્તાના કેટલાક ભાગો તૂટી પડ્યા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં, મૂળ પ્રોજેક્ટ ખર્ચ ₹ 5 કરોડથી વધીને ₹ 8 કરોડ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટના સતત વિલંબ થઈ રહ્યો છે, ઘણી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. અનેક ડિઝાઇન ફેરફારોને કારણે ખર્ચમાં પણ તીવ્ર વધારો થયો છે. તળાવને ફેબ્રુઆરી ૨૦૨૪ માં સમારકામ માટે બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે AMC દ્વારા છ મહિનાની સમયરેખા જાહેર કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓ તો ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. જૂન 2022માં ભારે વરસાદને કારણે તળાવની પાળને કેટલાક સ્થળોએ નુકસાન થયું હતું. તેમજ ભૂવા પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન તેનું સ્તર જાળવી રાખવામાં આવશે. અગાઉ તળાવમાં કચરો ઠાલવતી અડધો ડઝનથી વધુ ગટર લાઇનોને ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી. એક નવો 2 મિલિયન લિટર પ્રતિ દિવસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વિચારણા હેઠળ છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ આવવાની હોવાથી, સત્તાધારી પક્ષ અધિકારીઓને મુખ્ય પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી રહ્યો છે. દાણીએ જણાવ્યું હતું કે, તળાવના ઉદ્ઘાટન માટે કામચલાઉ ધોરણે 5 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...