Monday, November 17, 2025

તારીખ પર તારીખ બાદ હવે વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા તળાવને રિડેવલપ કરવાના નામે વીસ મહીનાથી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ છે. છ મહીનામા તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી કરાશે એવી ગુલબાંગ સત્તાધીશો દ્વારા હાંકવામાં આવી હતી. વસ્ત્રાપુર તળાવમાં ડેવલપ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોડકદેવ વોર્ડમા આવેલા વસ્ત્રાપુર તળાવને ફેબુ્આરી-2024 થી મુલાકાતીઓ માટે બંધ કરવામા આવ્યુ એ સમયે છ મહીનામા તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પુરી કરાશે એવી જાહેરાત કરાઈ હતી.AMC એ શરૂઆતમાં સમારકામ માટે ₹ એક કરોડ ફાળવ્યા હતા, ત્યારબાદ ભૂવા પૂરવા માટે થોડા લાખ ફાળવ્યા હતા. આખરે, અધિકારીઓએ સંપૂર્ણ પાયે પુનર્વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. વૉક વે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ઉંદરોએ ઊંડા ખાડાઓ કર્યા હતા, જેના કારણે રસ્તાના કેટલાક ભાગો તૂટી પડ્યા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં, મૂળ પ્રોજેક્ટ ખર્ચ ₹ 5 કરોડથી વધીને ₹ 8 કરોડ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટના સતત વિલંબ થઈ રહ્યો છે, ઘણી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. અનેક ડિઝાઇન ફેરફારોને કારણે ખર્ચમાં પણ તીવ્ર વધારો થયો છે. તળાવને ફેબ્રુઆરી ૨૦૨૪ માં સમારકામ માટે બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે AMC દ્વારા છ મહિનાની સમયરેખા જાહેર કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓ તો ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. જૂન 2022માં ભારે વરસાદને કારણે તળાવની પાળને કેટલાક સ્થળોએ નુકસાન થયું હતું. તેમજ ભૂવા પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન તેનું સ્તર જાળવી રાખવામાં આવશે. અગાઉ તળાવમાં કચરો ઠાલવતી અડધો ડઝનથી વધુ ગટર લાઇનોને ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી. એક નવો 2 મિલિયન લિટર પ્રતિ દિવસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વિચારણા હેઠળ છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ આવવાની હોવાથી, સત્તાધારી પક્ષ અધિકારીઓને મુખ્ય પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા વિનંતી કરી રહ્યો છે. દાણીએ જણાવ્યું હતું કે, તળાવના ઉદ્ઘાટન માટે કામચલાઉ ધોરણે 5 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...