Saturday, March 7, 2026

અમદાવાદ શહેર જિલ્લા DEO કચેરીનું પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન, 6 જિલ્લાઓમાં નવી DEO કચેરીને મંજૂરી

spot_img
Share

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને શિક્ષણના કાર્યોને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે.તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં કુલ 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લા સ્તરે શિક્ષણ સંબંધિત કામગીરીનું ભારણ ઘટશે અને શિક્ષણનું સંચાલન વધુ અસરકારક રીતે થઈ શકશે.અમદાવાદ શહેરમાં પણ DEO કચેરીનું વિભાજન કરવામાં આવશે. સાથે જ, કચ્છ જિલ્લાના ભુજ અને અંજારની DEO કચેરીનું પણ વિભાજન કરીને નવી કચેરી બનાવવામાં આવશે.

નવી DEO કચેરીઓના નિર્માણ માટે હાલના ચાર મહાનગરોને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. મંજૂર થયેલી 6 કચેરીઓમાં રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા શહેરમાં હવે શહેર અને ગ્રામ્ય એમ બે અલગ-અલગ DEO કચેરીઓ કાર્યરત થશે. આ વિભાજનથી શૈક્ષણિક વહીવટમાં સુગમતા આવશે, કારણ કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શૈક્ષણિક જરૂરિયાતો અલગ-અલગ હોય છે.

શિક્ષણ વિભાગના આ પગલાથી શાળાઓનું નિરીક્ષણ, શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ મળશે, જેથી લાંબા ગાળે રાજ્યના શિક્ષણ સ્તરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...