Saturday, March 7, 2026

ખાખી પર લાગ્યો દાગ : અમદાવાદમાં એક PI સામે છેડતીની ફરિયાદ, બીજા એક PI ને તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવ્યો છે અને શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વેજલપુરમાં એક PI સામે છેડતીની ફરિયાદ કરવામાં આવી છે.આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીનો આરોપ છે કે, લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. PI એ યુવતીના ખભા પર હાથ મૂકીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.PI હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે.

બીજા એક મામલામાં, અમદાવાદમાં ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં ટ્રાફિક PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમદાવાદમાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટનાઓ સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...