Saturday, January 24, 2026

ખાખી પર લાગ્યો દાગ : અમદાવાદમાં એક PI સામે છેડતીની ફરિયાદ, બીજા એક PI ને તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવ્યો છે અને શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વેજલપુરમાં એક PI સામે છેડતીની ફરિયાદ કરવામાં આવી છે.આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીનો આરોપ છે કે, લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. PI એ યુવતીના ખભા પર હાથ મૂકીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.PI હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે.

બીજા એક મામલામાં, અમદાવાદમાં ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં ટ્રાફિક PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમદાવાદમાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટનાઓ સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...