Saturday, March 7, 2026

ગુજરાત પોલીસમાં 14,507 જગ્યાઓ માટે આવી રહી છે ભરતી, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના યુવાનો માટે આજનો દિવસ ‘ડબલ ધમાકા’ સમાન સાબિત થયો છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા, ત્યાં બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવિષ્ય માટે એક મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે રાજ્યના પોલીસ વિભાગમાં આગામી સમયમાં 14,507 જેટલી જંગી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, જે યુવાનો અત્યારે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યાં છે, તેમના માટે આ ઉત્તમ તક છે. ભરતી માટે સારામાં સારી વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોની નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં સફળતા પૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના નિમણૂક પત્ર પણ ઝડપથી આપવામાં આવે છે.

ખાસ કરીને વાત કરવામાં આવે છે, છેલ્લી ભરતીમાં 12500 યુવાનોએ પરીક્ષા પાસ કરી છે અને તેઓ હવે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખયની છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...