Saturday, March 7, 2026

નવાવાડજ સર્કલે ભારત માતાનું 3500 કિલોગ્રામ વજનનું 15 ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે, 60 લાખ મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 3500 કિલોગ્રામ વજન ધરાવતુ બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ 15 ફૂટ હશે. રુપિયા 60 લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવાવાડજ વોર્ડ ઓફિસ સામે આવેલ નવાવાડજ સર્કલ ખાતે મ્યુનિ.15 ફૂટની ભારત માતાની 3500 કિલોગ્રામ વજનની કાંસ્યની પ્રતિમા મૂકશે. આ સર્કલ પર અંદાજે 60 લાખના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરાવાશે. આગામી 6 મહિનામાં આ કાસ્ય પ્રતિમા સાથેનું સર્કલ તૈયાર થઇ જશે.ધારાસભ્ય તથા વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર મુકવા કોન્ટ્રાકટર આશિષ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ છે. ભારત માતાની પ્રતિમા મુકવા અંગે થયેલી રજૂઆત બાદ તંત્રએ મંજૂરી આપી છે. ભારત માતાની આ પ્રતિમા કાસ્યમાંથી બનેલી અને 15 ફૂટ ઊંચી તથા 4 ફૂટનો બેઝ ધરાવતી હશે. 6 ફૂટના ફાઉન્ડેશનમાં પ્રતિમા ઊભી કરાશે.

નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં અનેક સ્થળે ઓલિમ્પિક સહિતના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...