Saturday, March 7, 2026

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર, યજમાની મળશે તો આતશબાજી કરવાની તૈયારી

spot_img
Share

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.કોમનવેલ્થ ગેમ્સ–2030નું આયોજન અમદાવાદમાં કરાવવા માટે રાજ્ય સરકારે તૈયારી તેજ કરી છે.જેમાં રાજ્ય સરકાર અને AMC અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થઈ ગઈ છે.જેમાં 2030માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે કોમનવેલ્થ સ્પોર્ટસની જનરલ એસેમ્બલી મળનારી છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ- 2030નું અમદાવાદ ખાતે આયોજન કરવા માટે ગેમ્સ પ્રપોઝલનું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે. પ્રેઝન્ટેશન પછી જનરલ એસેમ્બલી દ્વારા મતદાન કરવામાં આવશે અને અમદાવાદને યજમાન શહેર તરીકે પૃષ્ટી આપતો હોસ્ટ કોલબ્રેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 24થી 27 નવેમ્બર દરમિયાન ડેપ્યુટી સી.એમ. હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી જયરામ ગામીત, સ્પોર્ટસના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિની કુમાર અને અમદાવાદ મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીને ગ્લાસગો મોકલવા મંજુરી આપી છે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030 યોજાશે તે લગભગ નકકી છે. આમ છતાં ગ્લાસગો ,સ્કોટલેન્ડ ખાતે 24 થી 27નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં 26 નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોમવેલ્થ-2030 ની યજમાની કરવાની તક મળશે તો રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી કરવામા આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે તાકીદનું કામ મુકવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનરને ગ્સાસગો ખાતે મોકલવા તથા તે અંગે આનુષાંગિક ખર્ચ મ્યુનિ. કોર્પોરેશને ભોગવવા તેમજ જરૂરી કાર્યવાહી કરવા માટેની સત્તા મ્યુનિ. કમિશનરને આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.

અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે.નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે.કોમનવેલ્થ ગેમ્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સંકેત આપ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...