Thursday, November 27, 2025

અડાલજ-ઝુંડાલ રોડ પર વર્ષો જૂનું ગેરકાયદે ધાર્મિક દબાણ ધ્વસ્ત, વિરોધના પગલે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે 100 વાર જેટલું અને વર્ષો જૂનું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. ​કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય.

​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો અગાઉ પણ પોલીસ રક્ષણ હેઠળ પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-30 સર્કલ પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ધાર્મિક તેમજ સાતેક ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દબાણ હટાવવાની કામગીરી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જાહેર માર્ગોના વિકાસમાં ગેરકાયદેસર દબાણો ભલે તે ધાર્મિક હોય તે ચલાવી લેવામાં આવશે નહીં.

મહત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા સરકારી જગ્યાઓમાં ગેરકાયદે રીતે થયેલા બાંધકામો સામે આકરા એક્શન લેવાઈ રહ્યા છે. રાજ્યભરમાં અનેક સ્થળો પર તંત્ર પોતાનું બુલડોઝર ફેરવી રહ્યું છે. ત્યારે હવે અડાલજ વિસ્તારમાં આવેલ બાલાપીર દરગાહ તોડી પાડવામાં આવી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...