Saturday, March 7, 2026

અમદાવાદનું કાલુપુરના 16 માળનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું 35-40% કામ પૂર્ણ, હશે આવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે 24 હજાર કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન વિશ્વના સૌથી મોટા સ્ટેશન ડેવલપમેન્ટનો એક ભાગ છે. તેમાં 16 માળની બિલ્ડિંગ બનવાની છે, જેનો 15 માળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે. નીચે બે અંડરગ્રાઉન્ડ અને ઉપરના બે માળના પિલર પણ બની ગયા છે. સ્ટેશન સુધી આવવા માટે એલિવેટેડ રોડ પણ બનીને તૈયાર થઈ ગયા છે.

ડીઆરએમએ જણાવ્યું હતું કે, અહીં બેથી ત્રણ લાખ લોકો સરળતાથી આવ-જા કરી શકશે. આ એક સંપૂર્ણ મોડલ હશે, એટલે કે પછી ભલે મેટ્રો, બસ કે બુલેટ ટ્રેનમાં જવું હોય, તે અહીંથી કનેક્ટ થશે. ઠેર-ઠેર એસ્કેલેટર, સીડીઓ અને લિફ્ટ લગાવવામાં આવશે, જેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં થાય.આ સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અહીં મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલ, મેટ્રો, બસ અને બુલેટ ટ્રેનના નેટવર્ક સાથે જોડાયેલું હશે.

આ સ્ટેશન પર ત્રણ હજાર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, તેમાં ઓફિસો, હોટલ, ગાર્ડન અને મોર્ડન મોલ પણ બનાવવામાં આવશે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ લેવલ પર પરંપરાગત ટ્રેન હશે. જ્યારે, અંડરગ્રાઉન્ડ લેવલ પર સબવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અપર લેવલથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...