Thursday, January 15, 2026

અમદાવાદનું કાલુપુરના 16 માળનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું 35-40% કામ પૂર્ણ, હશે આવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે 24 હજાર કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન વિશ્વના સૌથી મોટા સ્ટેશન ડેવલપમેન્ટનો એક ભાગ છે. તેમાં 16 માળની બિલ્ડિંગ બનવાની છે, જેનો 15 માળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે. નીચે બે અંડરગ્રાઉન્ડ અને ઉપરના બે માળના પિલર પણ બની ગયા છે. સ્ટેશન સુધી આવવા માટે એલિવેટેડ રોડ પણ બનીને તૈયાર થઈ ગયા છે.

ડીઆરએમએ જણાવ્યું હતું કે, અહીં બેથી ત્રણ લાખ લોકો સરળતાથી આવ-જા કરી શકશે. આ એક સંપૂર્ણ મોડલ હશે, એટલે કે પછી ભલે મેટ્રો, બસ કે બુલેટ ટ્રેનમાં જવું હોય, તે અહીંથી કનેક્ટ થશે. ઠેર-ઠેર એસ્કેલેટર, સીડીઓ અને લિફ્ટ લગાવવામાં આવશે, જેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં થાય.આ સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અહીં મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલ, મેટ્રો, બસ અને બુલેટ ટ્રેનના નેટવર્ક સાથે જોડાયેલું હશે.

આ સ્ટેશન પર ત્રણ હજાર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, તેમાં ઓફિસો, હોટલ, ગાર્ડન અને મોર્ડન મોલ પણ બનાવવામાં આવશે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ લેવલ પર પરંપરાગત ટ્રેન હશે. જ્યારે, અંડરગ્રાઉન્ડ લેવલ પર સબવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અપર લેવલથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...