Saturday, September 19, 2026

અમદાવાદનું કાલુપુરના 16 માળનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું 35-40% કામ પૂર્ણ, હશે આવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે 24 હજાર કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન વિશ્વના સૌથી મોટા સ્ટેશન ડેવલપમેન્ટનો એક ભાગ છે. તેમાં 16 માળની બિલ્ડિંગ બનવાની છે, જેનો 15 માળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે. નીચે બે અંડરગ્રાઉન્ડ અને ઉપરના બે માળના પિલર પણ બની ગયા છે. સ્ટેશન સુધી આવવા માટે એલિવેટેડ રોડ પણ બનીને તૈયાર થઈ ગયા છે.

ડીઆરએમએ જણાવ્યું હતું કે, અહીં બેથી ત્રણ લાખ લોકો સરળતાથી આવ-જા કરી શકશે. આ એક સંપૂર્ણ મોડલ હશે, એટલે કે પછી ભલે મેટ્રો, બસ કે બુલેટ ટ્રેનમાં જવું હોય, તે અહીંથી કનેક્ટ થશે. ઠેર-ઠેર એસ્કેલેટર, સીડીઓ અને લિફ્ટ લગાવવામાં આવશે, જેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં થાય.આ સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અહીં મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલ, મેટ્રો, બસ અને બુલેટ ટ્રેનના નેટવર્ક સાથે જોડાયેલું હશે.

આ સ્ટેશન પર ત્રણ હજાર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, તેમાં ઓફિસો, હોટલ, ગાર્ડન અને મોર્ડન મોલ પણ બનાવવામાં આવશે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ લેવલ પર પરંપરાગત ટ્રેન હશે. જ્યારે, અંડરગ્રાઉન્ડ લેવલ પર સબવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અપર લેવલથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...