Saturday, November 29, 2025

અમદાવાદનું ભદ્ર પરિસર હવે દબાણમુક્ત, 844ને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી, ફેરિયાઓનો ઇન્કાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિર સંકુલમાંથી ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા છે. કુલ 844 કાયદેસર રીતે માન્ય લારીવાળા વિક્રેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશને ઢાલગરવાડમાં ખુલ્લી જગ્યાઓ આપી છે.જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભદ્ર પરિસરમાં બેસતા ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાનકોર નાકા નજીક અને ઢાલગરવાડમાં એમ બે જગ્યાએ તેઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો કે બંને પ્લોટમાં બેસવા માટે ફેરિયાઓને સમજાવવામાં આવ્યા છે અને વારંવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે છતાં પણ હજી સુધી તેઓ દ્વારા પ્લોટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી ફેરિયાઓને અને જાહેર જનતાને આ બાબતે જાણ થાય તેના માટે ભદ્ર પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સૂચના અંગેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના લાલદરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસે ભદ્ર પરિસર આવેલું છે ભદ્ર પરિસરમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકોને અવરજવરમાં તકલીફ પડતી હતી તે રીતે ફેરિયાઓ બેસતા હતા. આ ઉપરાંત કાયદેસરના ફેરિયાઓની સાથે ગેરકાયદે રીતે પણ કેટલાક એરિયાઓ બેસી જતા હતા જેના કારણે આખું ભદ્ર પરિસર ફેરિયાઓથી ઉભરાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. લોકો ત્યાંથી વાહન લઈને નીકળી શકતા નહોતા એવી રીતે ફેરિયાઓએ ત્યાં ગેરકાયદે દબાણ કરી લીધું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...