Saturday, March 7, 2026

અમદાવાદનું ભદ્ર પરિસર હવે દબાણમુક્ત, 844ને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી, ફેરિયાઓનો ઇન્કાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિર સંકુલમાંથી ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા છે. કુલ 844 કાયદેસર રીતે માન્ય લારીવાળા વિક્રેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશને ઢાલગરવાડમાં ખુલ્લી જગ્યાઓ આપી છે.જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભદ્ર પરિસરમાં બેસતા ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાનકોર નાકા નજીક અને ઢાલગરવાડમાં એમ બે જગ્યાએ તેઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો કે બંને પ્લોટમાં બેસવા માટે ફેરિયાઓને સમજાવવામાં આવ્યા છે અને વારંવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે છતાં પણ હજી સુધી તેઓ દ્વારા પ્લોટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી ફેરિયાઓને અને જાહેર જનતાને આ બાબતે જાણ થાય તેના માટે ભદ્ર પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સૂચના અંગેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના લાલદરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસે ભદ્ર પરિસર આવેલું છે ભદ્ર પરિસરમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકોને અવરજવરમાં તકલીફ પડતી હતી તે રીતે ફેરિયાઓ બેસતા હતા. આ ઉપરાંત કાયદેસરના ફેરિયાઓની સાથે ગેરકાયદે રીતે પણ કેટલાક એરિયાઓ બેસી જતા હતા જેના કારણે આખું ભદ્ર પરિસર ફેરિયાઓથી ઉભરાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. લોકો ત્યાંથી વાહન લઈને નીકળી શકતા નહોતા એવી રીતે ફેરિયાઓએ ત્યાં ગેરકાયદે દબાણ કરી લીધું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...