Thursday, March 5, 2026

વિજય ચાર રસ્તા પાસે ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, 6 રાઉન્ડ ફાયરિંગનું કારણ ખુલ્યું

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને બે અલગ અલગ હથિયાર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીનું હથિયાર રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ તપાસમાં, ગઈકાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિજય ચાર રસ્તા પાસેની સુભાષ સોસાયટીના બંગલા નંબર 16ની બહાર મનહરભાઈ સોનીના જમાઈ રાહુલ સોનીએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ પછી સસરા મનહરભાઈએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી રાહુલને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી એક 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર સહિત બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રિવોલ્વરમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી હતી.રાહુલ જ્યારે હથિયાર લઈને પહોંચ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.

પોલીસ તપાસમાં રાહુલ સોનીના બેકગ્રાઉન્ડને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે વર્ષ 2018માં આનંદનગર, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આનંદનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના પર ‘આર્મસ એક્ટ’ હેઠળ બે ગુના દાખલ થયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...